કુતિયાણામાં ૧૧ લોકોને હડકાયુ શ્ર્વાન કરડતા સારવાર માટે પોરબંદર લવાયા

  • June 09, 2025 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના કુતિયાણા ગામે હડકાયા શ્ર્વાને આતંક મચાવીને ૧૧ લોકોને ઘાયલ કર્યા હતા એ તમામને સારવાર માટે પોરબંદર લાવવામાં આવ્યા હતા જેમાંથી એક મહિલાને બહાર રિફર કરવામાં આવ્યા છે.
બનાવની વિગત એવી છે કે કુતિયાણાના ગાંધી રોડ વિસ્તારમાં હડકાયા બનેલા શ્ર્વાને એક પછી એક એમ ૧૧ લોકોને બટકા ભર્યા હતા. કોઈને હાથમાં તો કોઈને પગમાં કોઈને આંખ પાસે ઈજા પહોંચાડી હતી આથી તેઓને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાં દિવાળીબેન રામદેભાઈ બાપોદરા નામના ૫૫ વર્ષના મહિલાની સ્થિતી વધુ ગંભીર બનતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. જ્યારે લખમણ પીઠા (ઉંમરવર્ષ ૪૦) ખુશાલ હરેશ મારું (ઉંમર વર્ષ ૧૪)જાગૃતિ દિનેશ મારું (ઉંમર વર્ષ ૩૫)જગમાલ કારા (ઉંમર વર્ષ ૫૦) પુનિત સામત મોરી (ઉમર વર્ષ ૧૧)અંજલી કરમટા(ઉંમર: ૨૧) પૃથ્વી કેશુ ઓડેદરા (ઉંમર:૮) અને મોતીબેન કાંતિલાલ (ઉંમર૬૦), છોટુલાલ (ઉ.વ. ૪૨) અને કુલદીપ રાજુ (ઉ.વ.૨૪) ને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application