પોરબંદર નજીકના કુતિયાણા ગામે હડકાયા શ્ર્વાને આતંક મચાવીને ૧૧ લોકોને ઘાયલ કર્યા હતા એ તમામને સારવાર માટે પોરબંદર લાવવામાં આવ્યા હતા જેમાંથી એક મહિલાને બહાર રિફર કરવામાં આવ્યા છે.
બનાવની વિગત એવી છે કે કુતિયાણાના ગાંધી રોડ વિસ્તારમાં હડકાયા બનેલા શ્ર્વાને એક પછી એક એમ ૧૧ લોકોને બટકા ભર્યા હતા. કોઈને હાથમાં તો કોઈને પગમાં કોઈને આંખ પાસે ઈજા પહોંચાડી હતી આથી તેઓને સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાં દિવાળીબેન રામદેભાઈ બાપોદરા નામના ૫૫ વર્ષના મહિલાની સ્થિતી વધુ ગંભીર બનતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. જ્યારે લખમણ પીઠા (ઉંમરવર્ષ ૪૦) ખુશાલ હરેશ મારું (ઉંમર વર્ષ ૧૪)જાગૃતિ દિનેશ મારું (ઉંમર વર્ષ ૩૫)જગમાલ કારા (ઉંમર વર્ષ ૫૦) પુનિત સામત મોરી (ઉમર વર્ષ ૧૧)અંજલી કરમટા(ઉંમર: ૨૧) પૃથ્વી કેશુ ઓડેદરા (ઉંમર:૮) અને મોતીબેન કાંતિલાલ (ઉંમર૬૦), છોટુલાલ (ઉ.વ. ૪૨) અને કુલદીપ રાજુ (ઉ.વ.૨૪) ને પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech