કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાં પત્ની ચાલી જતા તેને લેવા માટે અને સમજાવવા ગયેલા યુવાનને સાયલેન્સરથી માથામાં ઇજા કરી તેમજ ઢીકાપાટુનો માર માર્યાની મહિલા સહિત ચાર સામે ફરીયાદ કરવામાં આવી છે.
કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાં રહેતા હનીફશા સુમારશા શેખ નામના યુવાને ગત તા. ૭ના રોજ કાલાવડ ટાઉન પોલીસમાં અબ્દુલશા કાસમશા શેખ, રહીમશા કાસમસા શેખ, આસમાબાનુ અને જુલેખાબેન કાસમશાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.ફરીયાદની વિગત અનુસાર ફરીયાદીની પત્ની આરોપી રહીમશા સાથે જતી રહેલ હોય જેથી ફરીયાદી તથા સાહેદે આરોપીઓના ઘરે જઇ ફરીયાદીની પત્ની ત્યાં હોય તો સોપી દેવા સમજાવવા જતા આરોપી અબ્દુલશા એકદમ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલવા લાગ્યો હતો આથી ફરીયાદીએ અપશબ્દો બોલવાની ના પાડતા આરોપીએ ત્યા પડેલ મોટરસાયકલનું સાયલેન્સર ફરીયાદીના માથાની પાછળના ભાગે ઝીંકી દીધુ હતુ તેમજ સહ આરોપીઓએ ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી બીજી વખત આવીશ તો જીવતા નહી રહેવા દઇ તેમ કહીને એકબીજાને મદદગારી કરી હતી.
જામજોધપુરમાં મહિલાનો બીમારીથી કંટાળી આપઘાત
જામજોધપુર ટાઉનમાં તિરુપતિ સોસાયટીમાં રહેતા રસીલાબેન ગોવિંદભાઈ સીણોજીયા નામના ૬૯ વર્ષના મહિલા કે જેઓ છેલ્લા ચાર પાંચ દિવસથી બીમાર રહેતા હતા, અને જાજરૂમાં તકલીફ રહેતી હતી. જે બીમારીથી કંટાળી જઇ તેઓએ પોતાના ઘરમાં પડેલા ગેસના ટીકડાઓ ખાઈ લીધા હતા. જેના કારણે તેઓ બેશુદ્ધ બન્યા હતા, અને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેઓનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે રોમલ ગોવિંદભાઈ શિણોજીયાએ પોલીસને જાણ કરી હતી.