ભાજપના કાર્યકરોએ મંદિરના આંગણા સ્વચ્છ બનાવ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન મુજબ તા. ૧૪ થી ૨૨ જાન્યુઆરીના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા દિવસ સુધી સમગ્ર દેશ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ જુદા જુદા મંદિરોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા શહેરમાં આવેલા શ્રી પાળેશ્વર મંદિર તથા તાલુકાના દાંતા ગામે દંતેશ્વર મહાદેવ, હર્ષદપુર ગામે ફુલાનંદ હનુમાન મંદીર, મોવાણ ગામ સ્થિત ભીમેશ્વર મહાદેવ, સિધ્ધપુર ગામે રાધે કૃષ્ણ મંદિર તથા રામ મંદિર જેવા વિવિધ મંદિરો પર તાલુકા ભાજપના આગેવાનો તથા જિલ્લા ભાજપના સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, મહામંત્રી રસિકભાઈ નકુમ, વિગેરે સાથે જિલ્લા ભાજપની ટીમ તથા ખંભાળિયા શહેર તથા તાલુકા મંડળ મોરચાના આગેવાનો તથા કાર્યકરોએ સાથે મળી અને આ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ: 100 લોકોના મોતની આશંકા
June 12, 2025 04:22 PMઅમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના નંબર જાહેર
June 12, 2025 04:18 PMLive : અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતા બ્લાસ્ટ : 242 મુસાફરોના મોતની આશંકા
June 12, 2025 04:10 PMદેશી- વિદેશી દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવતી પીસીબી ટીમ
June 12, 2025 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech