રાણાવાવની સરકારી હોસ્પિટલે ડાયાલીસીસની કામગીરી અંતે થઇ શરૂ

  • June 09, 2025 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના રાણાવાવ ગામે સરકારી હોસ્પિટલમાં શોર્ટસર્કીટને લીધે ડાયાલીસીસ સેન્ટરના સ્ટેબીલાઇઝરના અમુક પાર્ટ ખરાબ થઇ જતા દર્દીઓ હેરાન થતા હતા કોંગ્રેસ દ્વારા આક્રોશપૂર્ણ રજૂઆત બાદ અંતે તંત્રએ નિરાકરણ કરાવ્યુ છે. પંદર દિવસથી અહીંયા દર્દીઓ મુશ્કેલીમાં હતા. 



રાણાવાવ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રતાપભાઇ ખીસ્તરીયાએ જણાવ્યુ હતુ કે રાણાવાવના સરકારી દવાખાને તા. ૨૨-૫ના ડાયાલીસીસ સેન્ટર ખાતે શોર્ટ સર્કીટ થવાથી સ્ટેબીલાઇઝરના અમુક પાર્ટ ખરાબ થઇ ગયા હતા. જેથી દર્દીઓને કુતિયાણા અને પોરબંદર સુધી ધકકા થતા હતા. આથી આ બાબતે પ્રતાપભાઇ દ્વારા ડો. કરમટા અને પોરબંદર ટેકનીશ્યન વિભાગના લલિતભાઇથી માંડીને ગાંધીનગરના અધિકારી સાથે વાત કરી હતી અને સ્થાનિકકક્ષાએથી કવોટેશન મોકલી આપ્યાનું ગાણુ ગાયુ હતુ પરંતુ ત્યારબાદ કોંગ્રેસ દ્વારા રોષપૂર્ણ રજુઆત અને ધરણાની ચેતવણી અપાઇ હતી અંતે ૧૫ દિવસ બાદ સ્ટેબીલાઇઝરના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવતા લોકોના પ્રશ્ર્નનું નિરાકરણ આવ્યુ છે. 


આ કામગીરીમાં રાણાવાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મિલનભાઇ, મેરુભાઇ, હનીફભાઇ, સલીમભાઇ, ઇરફાનભાઇ, મહેમુદ સમા અને ઇકબાલભાઇ વગેરેએ રજુઆતો કરી હતી તેમ પ્રતાપભાઇ ખીસ્તરીયાએ જણાવ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application