હુમલો મારી નાખવાની ધમકી
દ્વારકા તાલુકાના વરવાળા ગામે રહેતા રાજેશભાઈ કાયાભાઈ ઓડીચ નામના 45 વર્ષના બ્રાહ્મણ યુવાન સોમવાર તારીખ 12 ના રોજ તેમના કુટુંબી ભાઈ ખુશ તથા મિત્રો સાથે વરવાળા ગામે ઉર્ષના મેળામાં ગયા હતા. ત્યારે રાત્રિના આશરે દસેક વાગ્યાના સમયે રાઇડ્ઝમાં બેસવા બાબતે ફરિયાદી રાજેશભાઈના કુટુંબી ભાઈ તથા આરોપીઓ ફૈઝલ, અનીલ ગીગલા, ભાવેશ માણેક, કમલેશ માણેક અને જસરાજભા માણેક નામના પાંચ શખ્સો સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી.
અહીંથી તેઓ છૂટા પડ્યા બાદ ફરીથી દ્વારકા ખાતે રાત્રીના આશરે બારેક વાગ્યાના સમયે ફરિયાદી રાજેશભાઈ કાયાભાઈ તેમજ આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં આરોપીઓએ એકસંપ કરી, ફરિયાદી રાજેશભાઈ તથા તેમના પુત્ર અને અન્ય સાહેદોને બિભત્સ ગાળો કાઢી, ઢીકા-પાટુનો માર માર્યો હતો. આટલું જ નહીં, આરોપીઓએ લોખંડના પાઇપ તેમજ લાકડાના ધોકા વડે હુમલો કરી, તેઓને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી.
આ ઉપરાંત આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે રાજેશભાઈ કાયાભાઈ બ્રાહ્મણની ફરિયાદ પરથી તમામ પાંચ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની તેમજ જી.પી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ દ્વારકાના હેડ કોન્સ્ટેબલ ડી.જે. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech