જ્યારે જ્યારે સંતાનો નપાવટ પાકે અને માતા પિતાને પોતાના ઘરેથી તરછોડે ત્યારે પરિવારનો માળો વીંખાઈ જતો હોય છે, અને દીકરા તથા ક્યારેક તો દીકરીથી પણ ત્યજાયેલા માતા-પિતા નો જીવનનો અંતિમ સહારો અને આશરો વૃદ્ધાશ્રમ બની જતા હોય છે. કહેવાય છે કે વૃદ્ધાશ્રમ તારછોડી દેવાયેલા વૃદ્ધો માટે આશીર્વાદરૂપ અને સોફેસ્ટિકેટેડ સમાજ માટે શરમ પ છે. પોરબંદર નજીકના રાણાખીરસરા ગામે આવેલ જલારામ ધામ વૃદ્ધાશ્રમ માત્ર વૃદ્ધોનો જ આશરો નથી પરંતુ અહીંયા ઉછેરવામાં આવેલા વૃક્ષોમાં કલબલાટ કરતા પક્ષીઓનો પણ આશરો છે. આશ્રમના પ્રાંગણમાં ઝુરીના વૃક્ષમાં આ વર્ષે રેકોર્ડબ્રેક કહી શકાય તેટલા ૩૦ જેટલા માળા સુગરીઓએ એક જ વૃક્ષમાં બનાવ્યા છે. જાણે કે આ સુગરી પક્ષી પણ સમજીને જ એટલા માટે અહીંયા વૃદ્ધાશ્રમમાં માળા કરવા આવ્યા હશે કે અહીંયા તેમને હુંફ અને પરિવાર બંને મળી જશે. સુગરીઓનો પરિવાર જોઈને અહીં રહેતા વૃદ્ધો પણ ખુશખુશાલ બની જાય છે અને અનુભવે છે કે અમે તો પરિવાર વિહોણા છીએ અને અહીંયા અમે એકબીજાનો સહારો બનીને રહેતા લોકો જ અમારો પરિવાર છે. અને એટલે જ કદાચ ઈશ્વર પાસે તેઓ એવું માંગતા હશે કે આવતા જન્મમાં અમને પક્ષી બનાવજે કે જેથી અમારા પરિવારનો માળો પીંખાઈ નહીં અને આ પક્ષીઓ જે રીતે હળી મળીને રહે છે એ રીતે અમારો પરિવાર પણ રહે તેવી આશા અપેક્ષા જિંદગીના સંધ્યાટાણે રાખી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech