એસ્ટેટ શાખાની ટીમ દ્વારા ૧૦૦થી વધુ દબાણો હટાવવા માટે કાર્યવાહી: ૧૫૦ થી વધુ જાહેરાતના બોર્ડ ઉતારાયા
જામનગર શહેરમાં પવનચક્કીથી લાલપુર બાયપાસ ચોકડી સુધીના સૂચિત માર્ગને સાફ સૂથરો બનાવવા માટે જામનગર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કવાયત કરવામાં આવી રહી છે, અને ઉપરોક્ત માર્ગ પર બંને તરફે ગેરકાયદેસરના દબાણ હોય, તો તેવા દબાણકર્તાઓને સ્વયંભૂ ખસી જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.
જેના અનુસંધાને છેલ્લા બે દિવસથી ઉપરોક્ત માર્ગે સાફ-સફાઈ ચાલી રહી છે, અને ૧૦૦ થી પણ વધુ દબાણકર્તાઓને કેનાલ સહિતની જગ્યા ખાલી કરવા માટેની સૂચના અપાઇ હોવાથી નાની મોટી કેબીન, ઝુપડા કમાન સહિતના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. આગામી બે દિવસ સુધીમાં તમામ ખાલી કરી દેવામાં આવે તેવી સૂચના અપાઇ રહી છે.
આ ઉપરાંત સુચિત ગૌરવપથ માર્ગની બંને તરફ કેટલાક જાહેરાતના બોર્ડ, કે જેની મુદત પૂરી થઈ ગઈ છે, અથવા તો કોઈ પણ પ્રકારના ચાર્જ ભર્યા વીના લગાવવામાં આવેલા હોય, તેવા જાહેરાતના ૧૫૦ થી વધુ નાના મોટા બોર્ડ મહા નગરપાલિકા દ્વારા કબજે કરી લેવામાં આવ્યા છે.
શહેરના સાત રસ્તા સર્કલથી સમર્પણ સર્કલ સુધીના માર્ગે પણ સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જ્યારે ઇન્દીરા માર્ગ પરથી પણ દબાણ હટાવવા માટેની સૂચના આપી દેવાઇ છે, જ્યાં પણ એસ્ટેટ શાખાની ટીમ કડક હાથે કામ લઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech