પાયાની દિવાલ ઉભી કરવા પાણીનું લેવલ ઘટ્યા બાદ કોર્પોરેશન પતરા દૂર કરશે
જામનગરના રણમલ તળાવમાં આશરે સાતેક મહિનાથી પાણી વધી જતાં કોઇપણ જાતનો અકસ્માત ન થાય તે માટે કેટલાક સ્થળોએ કોર્પોરેશન દ્વારા પતરા લગાવી દેવામાં આવ્યા હતા, હવે ધીમે ધીમે પાણીનું લેવલ ઘટ્યું છે ત્યારે આ પતરા ટુંક સમયમાં જ હટાવી લેવામાં આવશે અને પાયાની દિવાલ ઉભી કરવામાં આવશે તેમજ જાણવા મળ્યું છે.
જાણવા મળતી વિગત પ્રમાણે તા. 30 જુનના રોજ જામનગરમાં સવારે એક જ દિવસમાં પાંચ ઇંચ વરસાદ પડ્યા બાદ ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા અને વૃક્ષો પણ પડી ગયા હતા, ત્યારે રણમલ તળાવ પરિસરમાં જામ રણજીતસિંહજીની પ્રતિમા, માછલીઘર સામે, ગેઇટ નં. 4 સામે ડો. આંબેડકર ગાર્ડનમાં બે-ત્રણ સ્થળોએ પતરા લગાવી દેવામાં આવ્યા હતા અને આ વિસ્તારમાં લોકોની એન્ટ્રી પણ બંધ કરી દેવામાં આવી હતી, હવે ધીમે ધીમે પાણીનું લેવલ ઘટ્યું છે ત્યારે જ્યાં જ્યાં પાયાની દિવાલ પારી તૂટી ગઇ છે ત્યાં આ દિવાલ ફરીથી કરાશે, એટલે કે પાણીનું લેવલ ઘટી ગયા બાદ આ કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસમરસની કવાયત વચ્ચે જામનગર જિલ્લાના ર૬૬ ગ્રા.પં.ના સરપંચ માટે ૭૩૭ ફોર્મ ભરાયા
June 10, 2025 11:55 AMજામનગર શહેરની શિક્ષિકાએ રાષ્ટ્રીય બીચ ફૂટબોલ સ્પર્ધામાં મેદાન માર્યુ
June 10, 2025 11:54 AMવિજય માલ્યાની લોન ચુકવણીના દાવા સરકારે નકારી કાઢ્યા, કહ્યું હજુ પણ 7000 કરોડ રૂપિયા બાકી
June 10, 2025 11:24 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech