રાજયમાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપનું શાસન હોવા છતાં, કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આરોપ મૂકયો છે કે, મનરેગા યોજના સહિત ગુજરાતમાં વ્યાપક ભ્રષ્ટ્રાચાર શિષ્ટ્રાચાર બની ગયો છે.આ તમામ યોજનાઓમાં ૧૦ હજાર કરોડ પિયાનો કૌભાંડ છૂપાયેલો છે, જેમાં ભાજપના નેતાઓ અને તેમની નજીકની એજન્સીઓ સંડોવાયેલ છે. ઉપરાંત આ ભારત સરકારની યોજના હોવાથી સીબીઆઈની તપાસ સોંપવામાં આવે તેવી માગણી કરી છે.
મનરેગા યોજનામાં ભ્રષ્ટ્રાચાર પર પ્રહાર કરતાં અમિત ચાવડાએ જણાવ્યું, જાંબુઘોડા પંથકમાં ૪ એજન્સીઓએ ૪ વર્ષમાં ૨૦૦ કરોડના કામ દર્શાવ્યા, છતાં સ્થળ પર કોઈ કામ થયું જ નથી. ૨ દિવસમાં ૨ મજૂરે કૂવો બનાવી દીધો, ૧ વ્યકિતએ માટીમેટલ રસ્તો બનાવ્યો હોવાનું દર્શાવાયું છે. ૬૦% મજૂરીના બદલે માત્ર ૨૨% જ મજૂરોને ચૂકવાઈ છે, બાકીના ૮૮% મટીરિયલ ખર્ચ તરીકે ભરી કાઢા છે.
વધુમાં તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે રાયમાં ભ્રષ્ટ્રાચાર શિષ્ટ્રાચાર બની ગયો છે. જો આખા ગુજરાતની તપાસ થાય, તો ૧૦ હજાર કરોડનું કૌભાંડ બહાર આવશે એમ ચાવડાએ જણાવ્યું. મનરેગા માટે અત્યાર સુધીમાં ૮૦ હજાર કરોડ પિયાની ફરિયાદ નોંધાઈ છે, જો વધુ તપાસ થાય તો આ આંકડો ૧૦૦ હજાર કરોડને વટાવી જશે.
અમિત ચાવડાએ કહ્યું, સરકાર મંત્રી બચુ ખાબડને બચાવતી રહી છે, યારે એમના ગામડાંમાં અને અન્ય જગ્યાએ મધ્યસ્થ જમીનો લેવલીંગ કરી, વનીકરણ પણ કરવામાં આવ્યું છે. અમારા હાથમાં ૧૨ સર્વે નંબરના કાગળો છે, જેમાં બચુભાઈ ખાબડ તથા એમના પરિવારજનોના નામે જમીનો નોંધાઈ છે. આવું બધું વેબસાઇટ પર ઉપલબ્ધ છે ચાવડાએ જણાવ્યું. મંત્રી તરીકે ખાબડ હજુ પણ ચાલુ હોવાથી, તેઓ તપાસમાં અડચણ ઉભી કરી શકે છે. અમાં કહેવું છે કે, સરકારને ખરેખર તટસ્થ તપાસ કરાવવી હોય, તો ઓપરેશન ગંગાજળ શ કરવુ જોઈએ, અને બચુ ખાબડને મંત્રીપદમાંથી હટાવવા જોઈએ.
ઉપરાંત અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આ કેન્દ્ર સરકારની યોજના છે, એટલે વડા પ્રધાન સીબીઆઈ તપાસ શ કરાવે. જયારે સામાન્ય નાગરિક કે વિરોધી નેતાઓ ઉપર ઇન્કમટેકસ, ઈડીનો ઉપયોગ થાય છે, ત્યારે ભાજપના નેતાઓ પર આ રીતે તપાસ કેમ નથી થતી?અમિત ચાવડાએ જણાવ્યું કે મનરેગા અને અન્ય સરકારી યોજનાઓ ગરીબોને ન્યાય આપવાના સાધન છે, ભાજપના કાર્યકરોના નફા માટે નહીં. પણ ભ્રષ્ટ્રાચાર માટે જવાબદાર એજન્સીઓ, અધિકારીઓ અને નેતાઓ સામે કડક પગલા ભરવા સરકાર તૈયાર છે કે નહીં, તેની પરીક્ષા આવી ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech