વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ–એનડીએ સરકારના સેવા અને સુશાસનના ૧૧ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. એની ગુજરાત સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવનાર છે. તેના ભાગપે ૮ જૂનના રોજ ભાજપના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજશે. ત્યારબાદ ૯–૧૦ જૂન દરમિયાન ગુજરાતના વિવિધ મહાનગરો જિલ્લ ા મથકોએ કેન્દ્રીય મંત્રીઓ સંકલપ સે સિદ્ધિની જાણકારી આપશે.
રાયમાં એક બાજુ કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાનાર છે. એની સાથે ગ્રામ પંચાયતોનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો છે, એની વચ્ચે સંગઠનના શીરે બેવડી જવાબદારી રહેશે.
પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દરેક કાર્યક્રમમાં એક છોડ રોપવામાં આવશે. વૃક્ષારોપણનો કાર્યક્રમ ૫ જૂનથી શ થઇ ઓગસ્ટ મહિના સુધી યોજાશે. વડાપ્રધાન મોદીના કેચ ઘ રેઇન વોટર અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાશે. જેમાં કેન્દ્રીય જળશકિત મંત્રી તેમજ પ્રદેશ પ્રમુખના નેતૃત્વમાં કેચ ધ રેઇન યોજના વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે પ્રયાસ કરાશે. કેચ ધ રેઇન જન ભાગીદારી સાથે યોજાય તે માટેનો પ્રયાસ કાર્યકર્તાઓ કરશે.
તા. ૨૩ જૂને શ્યામા પ્રસાદના બલીદાન દિવસ નિમિત્તે કાર્યકર્તાઓ સેવાકીય કાર્યેા કરશે. ૨૫મી તારીખે ભાજપના કાર્યકર્તાઓ યુવાનો વચ્ચે જઇ કોંગ્રેસે સંવિધાનની હત્યા કેમ કરી તેની માહિતી પણ આપશે.
૯થી ૨૧ જૂન દરમિયાન યોજાનારા કાર્યક્રમોને લઇ રવિવારે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય જળશકિત મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં એક કાર્યશાળા યોજાઇ હતી. આ કાર્યશાળામાં પ્રદેશથી લઇ ગ્રામીણ સ્તરે કેવા પ્રકારના કાર્યક્રમોમાં કોની કેવી જવાબદારી તેના સંદર્ભે ચર્ચા અને સૂચના આપવામાં આવી હતી.
ભાજપના રાષ્ટ્ર્રીય સ્તરે નક્કી થયેલા કાર્યક્રમની વિગતો આપતા સંકલ્પ સે સિદ્ધિ અભિયાનના ઇન્ચાર્જ અને કિસાન મોરચાના પ્રમુખ હિતેષ પટેલે જણાવ્યું હતું કે, જૂન મહિનામાં પીએમ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. તે નિમિત્તે ભાજપ વિવિધ સેવાકીય કાર્યેા તેમજ ૧૧વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારે કરેલા કાર્યેાની જાણકારી જનજન સુધી પહોંચાડાશે. કેન્દ્રી મંત્રીઓ ગુજરાતમાં ૯–૧૦ જૂન દરમિયાન પ્રવાસ કરશે અને પત્રકાર પરિષદ યોજીને માહિતી આપશે. આ જ દિવસો દરમિયાન પ્રબુદ્ધ નાગરિક સંમેલનો યોજાશે. ૧૨થી ૨૧ દરમિયાન મંડલ અને મહાનગર કક્ષાએ વિવિધ પ્રદર્શની યોજાશે અને વિકસિત ભારત સંકલ્પ સભાઓ પણ રાયના મંત્રીઓ સંબોધશે. આ તમામ કાર્યક્રમોમાં વડાપ્રધાનના પચં પ્રણના સંકલ્પ લેવડાવાશે. ગ્રામીણ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપે ૧૬થી ૨૧ દરમિયાન ગામડાઓમાં ખાટલા બેઠકોના માધ્યમથી સરકારની કામગીરીની જાણકારી આપવાનું આયોજન કયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech