પુણેની એક સ્થાનિક અદાલતે શુક્રવારે પોર્શ કેસમાં સંડોવાયેલા સગીરના પિતા અને દાદાને તેમના ડ્રાઇવરના અપહરણ અને ખોટી રીતે કેદમાં રાખવા માટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.
19 મેના રોજ, જ્યારે પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં એક લક્ઝરી કારે ટુ-વ્હીલરને ટક્કર મારી હતી. ત્યારે ડ્રાઈવર કિશોરી સાથે પોર્શમાં હતો. આ દુર્ઘટનામાં બે સોફ્ટવેર એન્જિનિયરોના મોત થયા હતા.
કાર ચાલક રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ અગ્રવાલનો પુત્ર છે. આરોપ એવો હતો કે રિયલ એસ્ટેટ ડેવલપર વિશાલ અગ્રવાલ અને તેના પિતાએ તેમના ડ્રાઈવરને અકસ્માત માટે દોષી ઠેરવવાની ધમકી આપી હતી. એટલું જ નહીં તેનું અપહરણ પણ કરવામાં આવ્યું હતું. તેને તેના ઘરમાં ગેરકાયદેસર રીતે બંધક બનાવીને રાખવામાં આવ્યો હતો. ડ્રાઇવરની પત્નીએ તેને વડગાંવ શેરી વિસ્તારમાં આરોપીના બંગલાના સર્વન્ટ ક્વાર્ટરમાંથી છોડાવ્યો હતો.
આ પછી વિશાલ અગ્રવાલ અને તેના પિતા બંનેને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. પિતા-પુત્રને તેમના પોલીસ રિમાન્ડના અંતે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એએ પાંડેની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
કોર્ટમાં ફરિયાદ પક્ષે પોલીસ રિમાન્ડ વધારવાની માંગણી કરી હતી. તેમણે દલીલ કરી હતી કે આ કેસની તપાસ ચાલુ છે અને અત્યાર સુધીમાં "ગુનામાં વપરાયેલ ફોન અને કાર રિકવર કરવામાં આવી છે". તેણે આરોપીઓને થોડો સમય કસ્ટડીમાં રાખવાની માંગણી કરી અને કહ્યું કે બંને આરોપીઓ સહકાર આપતા નથી.
બચાવ પક્ષના વકીલે પોલીસ કસ્ટડીની માંગ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે ફરિયાદ પક્ષને કેસની તપાસ માટે પૂરતો સમય મળી ગયો છે. કારણ કે તેઓ પહેલેથી જ કાર, ફોન અને સીસીટીવી ફૂટેજ રિકવર કરી ચૂક્યા છે. તેથી વધુ પોલીસ કસ્ટડીની જરૂર નથી.
બંને પક્ષોને સાંભળ્યા બાદ ન્યાયાધીશે પિતા-પુત્રને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. કિશોરને 5 જૂન સુધી ઓબ્ઝર્વેશન હોમમાં રાખવામાં આવી છે. કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે જણાવ્યું કે સસૂન જનરલ હોસ્પિટલમાં સગીર કાર ચાલકના લોહીના નમૂનાઓ બદલવામાં આવ્યા હતા. આ એક્સચેન્જ એટલા માટે કરવામાં આવ્યો હતો કે જેનાથી તે અકસ્માત સમયે તે નશામાં નહતો એવું સાબિત કરી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech