ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા ચાલુ મહિનાથી રાજકોટ સહિત રાજ્યભરના તમામ એસટી ડિવિઝનને નવી બસોની ફાળવણી શરૂ કરવામાં આવનાર છે. ૧૦૦ એસી બસ સહિત કુલ ૨૦૬૩ નવી બસો આગામી દિવસોમાં આવશે.
વિશેષમાં નિગમના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આગામી સપ્તાહથી દર સપ્તાહે તબક્કાવાર ૨૦૦થી ૩૦૦ નવી બસ આવશે જેની જરૂરિયાત મુજબ વિવિધ ડિવિઝનને ફાળવણી કરવામાં આવશે.નિયત કિલોમીટર પૂર્ણ થઇ ગયા હોય તેવી તમામ ઓવરએજ બસો સેવામાંથી દૂર કરવામાં આવશે.
તદઉપરાંત ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમમાં હાલ મોટા પાયે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ૩૦૦૦ ડ્રાઇવર, ૩૦૦૦ કંડકટર અને ૨૨૦૦ હેલ્પરની ભરતી કરવામાં આવનાર છે. કંડક્ટરોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ છે, ડ્રાઇવરોના ટેસ્ટ પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જ્યારે હેલ્પર્સની ટેસ્ટ આગામી જુલાઇ માસમાં લેવામાં આવનાર છે. આ ઉપરાંત પણ નિગમમાં ખાલી પડેલી અનેકવિધ જગ્યાઓ ઉપર ટૂંક સમયમાં ભરતી થનાર હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech