શહેરના જિલ્લા ગાર્ડન પાસે વિદ્યાર્થીને ચાર શખસોએ છરી અને લોખંડના સળિયા વડે મારમારતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાનના મિત્ર સાથે આરોપી ઝઘડો કરતો હોય તે બાબતે સમજાવતા તેનો ખાર રાખી આ હુમલો કર્યો હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોઠારીયાર રોડ પર નિલકંઠ સિનેમા પાછળ મેહુલનગર શેરી નં.૧૦ માં રહેતા અર્જુન જયેશભાઇ ભટ્ટ(ઉ.વ ૨૯) નામના યુવાને ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાહુલ રાજપુત અને ભાવિન રાજપુતના નામ આપ્યા છે.યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે.
યુવાનના મિત્ર પાશ્ર્વને અમદાવાદ જવાનું હોવાથી રાત્રીના યુવાન મિત્ર સાથે ગાયત્રીનગર મેઇન રોડ પર ગાત્રાળ હોટલે બેઠો હતો.ત્યારે તેના મિત્ર યશ ઠાકર સાથે રાહુલ રાજપુત બોલાચાલી કરતો હોય જેથી યુવાને તેને સમજાવતા તે ઉશ્કેરાઇ ગયો હતો. ત્યાર બાદ યુવાન ઘરે જતો હતો ત્યારે તેને રાહુલનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તું કયાં છો જેથી યુવાને કહ્યું હતું કે, હું જિલ્લા ગાર્ડન પાસે છું તેમ કહેતા રાહુલ અને ભાવિન અહીં પહોંચ્યા હતા અને યુવાન કંઇ કહે તે પહેલા રાહુલે તેને પડખાના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો.ભાવિને લોખંડના સળિયા વડે મારમાર્યો હતો.ત્યાર બાદ બે અજાણ્યા શખસોને આવી યુવાનને ઢીકાપાટુનો મારમાર્યો હતો.જે તે સમયે યુવાન ઘરે જઇ સુઇ ગયો હતો.સવારે તેને દુ:ખાવો થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાર બાદ યુવાને આ અંગે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech