દીવમાં મધદરિયે શીપ અને બોટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દીવના વણાકબારાથી 70 કિમી દૂર નિરાલી બોટ સાથે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 7 ખલાસીઓમાંથી 3ને બચાવી લેવાયા છે જ્યારે 4 ખલાસી લાપત્તા છે. બચાવ કામગીરી દરમિયાન અન્ય ખલાસીઓની શોધખોળ શરૂ છે. બોટ પણ લાપત્તા છે, જેને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે.
સમગ્ર મામલે બોટના માલિક ચુનીલાલ બારીયાએ જણાવ્યું કે, મારી નિરાલી નામની બોટ આઇએનડી ડીડી 02 એમએમ 757 દરિયામાં શીપ સાથે અથડાઈ હતી. અમે ફિશિંગ કરીને 16માં દિવસે એટલે કે, ચોથી માર્ચના દિવસે પરત ફરી રહ્યા હતાં ત્યારે રાતના 10 થી 11 વાગ્યાની આસપાસ કોઈ મોટા જહાજે ટક્કર મારી અને અમારી બોટ પલટી મારીને ડૂબી ગઈ. બોટમાં 7 ખલાસી હાજર હતાં, જેમાંથી 3 ખલાસીને બચાવી લેવાયા છે. હજુ સુધી બોટ અને અન્ય 4 ખલાસી લાપત્તા છે. જેની તંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે. જે ખલાસીઓ બચી ગયાં તેમને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
નિરાલી બોટમાં બે ગુજરાત તેમજ 5 મહારાષ્ટ્રના ખલાસી હતાં. દીવ ખાતે બનેલી આ દુર્ઘટના બાદ તંત્ર, માછીમારો તેમજ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાની શોધખોળ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ એક ટંડેલ અને અન્ય 3 ખલાસી લાપત્તા છે. આ સિવાય ટંડેલ મિલન, મહારાષ્ટ્રના ખલાસી અનિલ વનગડ અને જલારામ વલવી હોસ્પિટલ હેઠળ સારવાર લઈ રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંભા ગીરના ગામડાઓમાં વરસાદની તોફાની બેટિંગ
June 08, 2025 01:51 PMઆટકોટ નજીક ટ્રક બેકાબૂ: ચાર વાહનોને લીધા અડફેટે, સદનસીબે જાનહાનિ ટળી
June 08, 2025 01:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech