સરકારના આદેશ મુજબ જામનગર જિલ્લામાં પણ ચાર મહીનાથી પશુઓની વસ્તી ગણતરીનું કામ ચાલી રહ્યું છે, હવે લગભગ ૫૫ થી ૫૭ ટકા કામ પૂર્ણ થયું છે, ૪૧૭ ગામો, ૪ નગરપાલિકા, ૧ મહાનગરપાલિકા સહિતના કુલ ૪૭૨ લોકેશનો આવરી લેવાશે અને અત્યાર સુધીમાં ૧.૪૧ લાખ ઘેટા, ૬૮ હજાર બકરા, ૯૨ હજાર ભેંસ અને ૭૨ હજાર ગાય નોંધાઇ ચૂકયા છે અને હજુ વધુ પશુઓની નોંધણી કરવામાં આવશે.
જામનગર કોર્પોરેશન ઉપરાંત ૪ નગરપાલિકા અને જામનગરના તમામ વોર્ડની ગણતરી થઇ રહી છે, સરકારના પશુપાલન વિભાગ દ્વારા ૯૬ પશુ ગણતરીકાર અને ૧૮ સુપરવાઇઝરની ફાળવણી આ ગણતરી માટે કરવામાં આવી છે. ૩૨૧ લોકેશન ઉપર હાલમાં કામગીરી ચાલું છે જેમાં ૧૬ જેટલા ગામોની પશુઓની ગણતરી પૂર્ણ થઇ ચૂકી છે જયારે ૨૬ લોકેશન ઉપર વેરીફીકેશનની કામગીરી ચાલી રહી છે, જેમાં સૌથી વધુ ૧ લાખ ૪૧ હજાર ઘેટા નોંધાયા છે. આ ઉપરાંત ૧૮૯ ઘોડા, ૮૧ ગઘેડા, ૨૦૫ ઉંટ પણ ગણતરીમાં નોંધાયા છે, હજુ ૪૨ થી ૪૫ ટકા ગણતરી બાકી છે ત્યારે લગભગ બે મહીના બાદ તમામ ગણતરી પુર્ણ થયા બાદ જિલ્લામાં કેટલા પશુઓ છે તે અંગે સતાવાર માહીતી બહાર પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિહોરના ટોડા વસાહતના એક બંધ મકાનમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો
June 09, 2025 03:30 PMદેવગણાના શહીદ મેહુલભાઈને crpfના ડી.જી.પી. જ્ઞાનેન્દ્ર પ્રસાદસિંહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
June 09, 2025 03:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech