અકળ કારણોસર તરૂણીના આપઘાતના બનાવથી અરેરાટી
ખંભાળિયામાં તેર વર્ષની એક તરુણીએ શુક્રવારે મોડી સાંજે કોઈ અકળ કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું ખુલવા પામ્યું છે. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ કલ્યાણપુર તાલુકાના રાજપરા ગામના વતની કેશુભાઈ સુકાભાઈ કારાવદરા (ઉ.વ. 37) ની 13 વર્ષની તરુણ પુત્રી સૃષ્ટિ શુક્રવારે મોડી સાંજે ઘરે હતી. ત્યારે તેણીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.
આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો મેળવી અને ખંભાળિયાની હોસ્પિટલ બાદ તેણીના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે જામનગર ખસેડવામાં આવ્યો હતો.
મૃતક તરુણી અહીંની એક શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતી હતી. આ ઘટના અંગે મૃતકના પિતા કેશુભાઈ કારાવદરાએ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, ધોરણસર કાર્યવાહી કરી હતી. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMગુલાબનગરમાં વિદ્યાર્થી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો
June 09, 2025 01:32 PMકોરોના જેટ ગતિએ વઘ્યો: શનિ-રવિમાં વધુ ૧૪ કેસ
June 09, 2025 01:31 PMકાલાવડમાં યુવાનને માથામાં સાયલેન્સર ફટકાર્યુ
June 09, 2025 01:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech