પોરબંદરના સુભાષનગર નજીક ખાડીમાંથી અજાણ્યા વ્યક્તિનો કોહવાયેલો મૃતદેહ શુક્રવારે મોડી સાંજે મળી આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. સાથે ફાયરબ્રિગેડ પણ લાશને બહાર કાઢવા માટે પહોંચી હતી તથા મૃતદેહને પી.એમ. માટે હોસ્પિટલે પહોંચાડયો હતો.
જાણવા મળતી વિગત પ્રમાણે પોરબંદરના બોખીરાથી સુભાષનગર તરફ જતા રસ્તે તુંબડાના નાકે ખાડીમાં અજાણી વ્યક્તિનો મૃતદેહ તરતો હોવાનું લોકોના ધ્યાને આવતા તાત્કાલિક માચ્છીમારોએ પોલીસને જાણ કરી હતી તથા લાશને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. સ્થાનિક માચ્છીમારો સહિત ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કોહવાયેલી લાશને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને લાશનો કબ્જો લઇને પોસ્ટમોર્ટમ માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવી હતી. બીજી બાજુ આ મૃતદેહ કોનો છે તે અંગે માહિતી મેળવવા પોલીસે માચ્છીમારોના વિસ્તારમાં પણ તપાસ હાથ ધરી હતી અને તેની ઓળખ મળ્યેથી તેમજ પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવી ગયા બાદ તેના મૃત્યુનું સાચુ કારણ બહાર આવશે તેમ જણાઇ રહ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech