જામનગરમાં બિમારીથી પિડીત વૃઘ્ધાનું દાઝી જતા મૃત્યુ
ધ્રોલની વાંકીયા સીમમાં પટેલ આધેડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, મગજની તકલીફના કારણે ગુમસુમ રહેતા હોય દરમ્યાન આ પગલું ભરી લીધુ હતું, બીજા બનાવમાં જામનગરના 80 ફુટ રોડ પુલીયા પાસે રહેતા વૃઘ્ધાને બીપી તથા કમરની બિમારી હોય દરમ્યાન આખા શરીરે ગંભીર રીતે દાઝી જતા મૃત્યુ નિપજયાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગર નજીક જાંબુડા ગામના અને હાલ ધ્રોલની શિવમપાર્ક સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઇ ભવાનભાઇ કાનાણી (ઉ.વ.51) નામના આધેડને છેલ્લા એકાદ મહિનાથી મગજની તકફલીફ હોય, મગજ ઓછો કામ કરતો હોય અને થોડા દિવસથી ગુમસુમ રહેતા હતા.
જેથી તેઓ ગઇકાલે પોતાના કુટુંબી મામાની વાંકીયામાં આવેલી વાડીએ જઇ લીમડાના ઝાડની ડાળીમાં વાયર વડે ગળે ફાંસો ખાઇ લેતા ધ્રોલ સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવેલ જયાં ફરજ પરના તબીબે તપાસીને મરણગયાનું જણાવ્યુ હતું, આ અંગે ધ્રોલના ગોકુલપાર્કમાં રહેતા અજય ભવાનભાઇ કાનાણીએ ધ્રોલ પોલીસમાં જાહેર કર્યુ હતું.
બીજા બનાવમાં જામનગરના 80 ફુટ રોડ, પુલીયા પાસે આહીર પાડામાં રહેતા રેવીબેન કુંવરજીભાઇ અઘારા (ઉ.વ.84) નામના વૃઘ્ધાને બ્લડ પ્રેશર તથા કમરની બિમારી હોય અને મોટી ઉમરના હોય, ગઇકાલે પોતાના ઘરની બહાર ડેલી પાસે કોઇપણ કારણસર શરીરે દાઝી જતા મૃત્યુ થયુ હતું, આ અંગે આહીર પાડો, પટેલ લાઇન ખાતે રહેતા ધનજીભાઇ અધારા દ્વારા સીટી-સીમાં જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech