એમપીના ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના ગેટ નંબર 4ની સામેની દિવાલ ગત રાતે ભારે વરસાદને કારણે ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે જ્યારે અડધો ડઝન લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં એક મહિલાનો સમાવેશ થાય છે.ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક બની હતી , જેમને ઉજ્જૈન અને ઈન્દોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ ઘટનાની તપાસ શરુ કરી દેવામાં આવી છે.ઉજ્જૈનના કલેક્ટર અને મહાકાલેશ્વર મંદિર સમિતિના અધ્યક્ષ નીરજ કુમાર સિંહે જણાવ્યું કે મૃતકોમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે.
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરના ગેટ નંબર 4ની સામે ખૂબ જ જૂની દિવાલ હતી, જેને સ્માર્ટ સિટી દ્વારા પેઇન્ટિંગ કરીને નવી બનાવવામાં આવી હતી. મધ્યપ્રદેશ પ્રવાસન વિકાસ નિગમ દ્વારા આ દિવાલના ઉપરના ભાગમાં એક લક્ઝરી હોટેલ બનાવવામાં આવી છે. આ હોટલના ગાર્ડનનું બધુ જ પાણી આ દીવાલમાંથી નીચે આવતું હતું. શુક્રવારે, ઉજ્જૈનમાં સાંજે 4:00 વાગ્યાથી ભારે વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે તમામ પાણી દિવાલ પર દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન દિવાલ ધરાશાયી થઈ હતી. આ દિવાલ તે લોકો પર પડી જેઓ મહાકાલેશ્વર મંદિરમાં આવતા શિવભક્તોને પ્રસાદ, ફૂલ વગેરે વેચતા હતા. આ ઘટનામાં એક મહિલા અને એક પુરૂષનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સ્માર્ટ સિટીના અધિકારી નીરજ પાંડેએ જણાવ્યું હતું કે ભક્તોની અવરજવરને કારણે આ દિવાલને સુંદર દેખાવ આપવામાં આવ્યો હતો. આ દીવાલને પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું અને દિવાલનો અમુક ભાગ નવો પણ બનાવવામાં આવ્યો હતો, જ્યારે આખી દિવાલ નવી બનાવવાનું કામ થયું નથી.
તપાસ બાદ કાર્યવાહી કરાશે
ઉજ્જૈનના ડિવિઝનલ કમિશનર સંજય ગુપ્તાએ કહ્યું કે આ ઘટના ખૂબ જ દુ:ખદ છે અને તેની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે તપાસમાં જો કોઈ દોષિત જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉજ્જૈનના આઈજી સંતોષ કુમાર સિંહે કહ્યું કે સૌથી પહેલા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કેસમાં, મહાનગરપાલિકા, એસડીઆરએફ, પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના બે યુવાનોએ અગ્નિવિરની તાલીમ પૂર્ણ કરતા થયું અભિવાદન
June 09, 2025 10:33 AMમીઠાપુરમાં રખડતું ભટકતું જીવન જીવતા વૃદ્ધનું મૃત્યુ
June 09, 2025 10:33 AMપોરબંદરમાં વિશ્વ મહાસાગર દિવસ નિમિત્તે યોજાયું સાગર કાઠે સફાઈ અભિયાન
June 09, 2025 10:32 AMપોરબંદરમાં કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં સેવા સેતુ સહિત કાર્યક્રમ યોજાયા
June 09, 2025 10:31 AMરાજકોટ : આયાત ડ્યુટી ઘટતા વેપારીઓ ચિંતિત, ગ્રાહકો ખુશખુશાલ
June 09, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech