ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વતની રાજેશભાઈ માવજીભાઈ ટંડેલ નામના 45 વર્ષના માછીમાર યુવાન રાત્રિના સમયે બોટની કેબિનમાં સુતા હતા, ત્યારે મધ્યરાત્રીના સમયે તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ ભુપેન્દ્રકુમાર ટંડેલએ ઓખા મરીન પોલીસને કરી છે.
મીઠાપુર, સલાયામાં જુગાર રમતા બે મહિલા સહિત પાંચ ઝડપાયા
મીઠાપુર પોલીસે ઝુપડપટ્ટી વિસ્તારમાંથી ઉષાબેન રમેશભાઈ, ગીતાબેન મોહનભાઈ અને વિકી ગોવિંદભાઈને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. સલાયા ટાઉન વિસ્તારમાંથી પોલીસે બશીર અલીભાઈ ઘાવડા અને સિરાજ અબ્દુલઅજીજ સૈયદને ગંજીપાના વડે જુગાર રમતા ઝડપી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech