ભાવનગર -સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ખાસ કરીને તળાજા ના ધારડી થી તળાજા સુધીના માર્ગ પર નેશનલ ઓથોરિટી ની બે દરકારી ના કારણે રખડુ ખૂંટીયાઓ ના કારણે દાઠા નજીકના વાટલીયા અને બોરડા ગામના બાઈક સવાર યુવાનો નો ખૂંટીયા સાથે અકસ્માત થતા વાટલીયા ગામના યુવાનનું મોત નીપજ્યું હતું.જયારે બોરડા ના એક યુવાનની સ્થિતિ ગંભીર ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની મળતી વિગતો મુજબ દાઠા ના વાટલીયા ગામના અને બોરવેલ ના વ્યવસાય સાથે સંકળાયેલા દેવરાજસિંહ તખુભા સરવૈયા(ઉ.વ.૩૮) તથા બોરડા ગામના વિશાલ વેજાભાઈ શિયાળ બંને બાઈક પર સવાર થઈને વેળાવદર થી તળાજા તરફ આવી રહ્યા હતા.તે સમયે શેત્રુંજી નદીના પુલ પહેલા રોડપર
ખૂંટિયો આવી જતા તેની સાથે અકસ્માત થતા દેવરાજસિંહ સરવૈયા નું સ્થળ પરજ મોત નિપજેલ.જ્યારે વિશાલ શિયાળ ને ભાવનગર ખસેડેલ જયાં તેની સ્થિતિ ગંભીર દર્શાવાઈ રહી છે. મૃતક દેવરાજસિંહ ને ત્રણ દીકરીઓ અને એક દીકરો મળી ચાર સંતાન છે.તેમજ પત્ની નું દોઢેક વર્ષ પૂર્વે કેન્સર ના કારણે મૃત્યુ થયું હતું. રખડતા ખુંટીયાના કારણે ચાર સંતાનો એ પિતા ની છત્ર છાયા ગુમાવતા ભારે અરેરાટી ફેલાઈ હતી.
આ અંગે મૃતક દેવરાજસિંહના કૌટુંબિક ભાઈ સિધ્ધરાજસિંહ પ્રવીણસિંહ સરવૈયા (ઉ. વ. ૩૯, રે. વાટલીયા, તા. તળાજા, જિ. ભાવનગર)નું નિવેદન નોંધી તળાજા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech