અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. પ્લેન ક્રેસમાં 50 લોકોના મૃતદેહોને બહાર કઢાયા છે. જ્યારે આ સંખ્યા હજુ પણ વધી શકે તેવી આશંકા છે. ઇજાગ્રસ્ત અને મૃતદેહોને હોસ્પિટલ લાવવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલમાં ચારેતરફ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. એક બાદ એક મૃતદેહો ભરેલી એમ્બ્યુલન્સ સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલવામાં આવી રહી છે.
દર્દીની સારવારલક્ષી માહિતી મેળવવા તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાયો: આરોગ્ય અગ્ર સચિવ
આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીના જણાવ્યા અનુસાર અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના DNA સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. 50 ઇજાગ્રસ્તોની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી હાલ સ્ટેબલ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકના નજીકના સગા ( માતા-પિતા અથવા બાળકો) DNA સેમ્પલ આપી શકશે. સગા-સ્નેહીજનોને આ કસોટી ભવન ખાતે DNA સેમ્પલ આપવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે તે આ મુજબ છે.
6357373831
6357373841
રાજકોટ જિલ્લાનાં નાગરિકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો
જિલ્લા વહિવટી તંત્ર, રાજકોટ દ્વારા હેલ્પલાઇન નંબર ૦૨૮૧-૨૪૭૧૫૭૩ જાહેર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એર ઇન્ડિયા પેસેન્જર હોટલાઇન નંબર ૧૮૦૦ ૫૬૯૧ ૪૪૪ તથા અમદાવાદ શહેર પોલીસ નંબર ૦૭૯-૨૫૬૨૦૩૫૯ જાહેર કરવામાં આવ્યો હોવાનું જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઇમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી, સારવાર સંબંધિત માહિતી મેળવવા હોસ્પિટલ તંત્રએ બે ફોન નંબર જાહેર કર્યા
6357373831
6357373841
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએઈમ્સ-ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ સિક્સલેન વિજયભાઈની દેન, રાજકોટ હવે મેગા સિટીની હરોળમાં
June 13, 2025 06:11 PMસલાયામાં જુદા જુદા બે પ્લોટના વેચાણ સંદર્ભે છેતરપિંડી સબબ ફરિયાદ
June 13, 2025 10:17 AMજુવાનપુરના ત્રણ શખ્સો દ્વારા વિપ્ર યુવાન સાથે છેતરપિંડી
June 13, 2025 10:14 AMકોઈ પણ કામ હાથમાં લેતા પહેલા આ મંદિરે વિજયભાઈ રૂપાણી દર્શન કરવા આવતા
June 13, 2025 09:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech