અમદાવાદ પ્લેન ક્રેશઃ અમિત શાહે કહ્યું, પ્લેનમાં 230 મુસાફરો અને 12 ક્રુ મેમ્બર હતા, એકનો જીવ બચ્યો...જૂઓ વીડિયો

  • June 12, 2025 10:15 PM 


અમદાવાદમાં આજે બનેલી વિમાન દુર્ઘટનાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ અમિત શાહે પત્રકારો સાથે વાતચીત કરી હતી.

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, "પ્લેનમાં કુલ 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બર સવાર હતા. આ દુર્ઘટનામાં ચમત્કારિક રીતે માત્ર એક જ વ્યક્તિનો જીવ બચી શક્યો છે, જે અત્યંત દુઃખદ છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "વધુ પડતી ગરમી હોવાથી કોઈને બચાવી શક્યા નહીં. આ એક અકસ્માત છે અને તેને કોઈ રોકી શકે નહીં."

આ ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે દુર્ઘટનાની ભયાવહતા દર્શાવે છે. આ કરુણ ઘટનાથી સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. સરકારે આ ઘટના અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application