આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ અને સંશોધન વિશે જ્ઞાન મેળવી થયા અભિભૂત
રિલાયન્સ પરિવારના અનંત અંબાણીના જીવનસાથી રાધિકા મર્ચન્ટ અંબાણીએ જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થા (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ - (ITRA) ની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન રાધિકા અંબાણીએ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઓ વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી અને સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી.
રાધિકા અંબાણીએ ITRAના વિવિધ વિભાગમાં મુલાકાત કરી હતી અને ત્યાં ચાલી રહેલા શિક્ષણ અને સંશોધન કાર્યો વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. તેમને આયુર્વેદના વિવિધ પાસાઓ જેવા કે નિદાન પદ્ધતિ, ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ, લેબોરેટરીની કામગીરી અને પરંપરાગત ઉપચાર વિશે જાણકારી મેળવી, સંસ્થાના નિયામક પ્રો. ડૉ. તનુજા નેસરી સાથે નિષ્ણાત ડોક્ટરો અને અધિકારીઓની એક ટીમ આ મુલાકાત દરમિયાન રાધિકા અંબાણી સાથે જોડાઈ હતી અને ITRAમાં ઉપલબ્ધ વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA), જામનગર એ આયુષ મંત્રાલય દ્વારા સ્થાપિત દેશની રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતી સૌ પ્રથમ સંસ્થા છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ આયુર્વેદના ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધન કાર્યને વેગ આપી પ્રોત્સાહન આપવાનો છે. સંસ્થા દ્વારા વિવિધ અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ, ડિપ્લોમા અને ડોક્ટરેટ સ્તરના અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. આ ઉપરાંત, ITRA આયુર્વેદના પરંપરાગત જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે જોડીને સંશોધન કાર્ય પણ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએઈમ્સ-ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ સિક્સલેન વિજયભાઈની દેન, રાજકોટ હવે મેગા સિટીની હરોળમાં
June 13, 2025 06:11 PMસલાયામાં જુદા જુદા બે પ્લોટના વેચાણ સંદર્ભે છેતરપિંડી સબબ ફરિયાદ
June 13, 2025 10:17 AMજુવાનપુરના ત્રણ શખ્સો દ્વારા વિપ્ર યુવાન સાથે છેતરપિંડી
June 13, 2025 10:14 AMકોઈ પણ કામ હાથમાં લેતા પહેલા આ મંદિરે વિજયભાઈ રૂપાણી દર્શન કરવા આવતા
June 13, 2025 09:40 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech