વેલકમ નવરાત્રી તથા ગરબા મહોત્સવના આયોજનો: પ્રેસિડેન્ટ સ્કૂલ ખાતે સોમવારે થનગનાટ ગરબા મહોત્સવ
નવરાત્રીના ઉમંગ ઉત્સાહના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ખંભાળિયામાં ઠેર ઠેર નવરાત્રીના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. અહીં વિવિધ ગરબા મંડળ તેમજ ઉત્સવ સમિતિઓ દ્વારા રાસ ગરબાના આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેને માણવા લોકોમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
ખંભાળિયા નજીકના ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં પણ નવરાત્રી પૂર્વે ગરબા શોખીન લોકો દ્વારા પારિવારિક નવરાત્રી મહોત્સવના આયોજનના ભાગરૂપે આ વિસ્તારની ધી પ્રેસિડેન્ટ સ્કૂલના વિશાળ પટાંગણમાં થનગનાટ નવરાત્રી ગરબા મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ આયોજનમાં આગામી સોમવાર તારીખ 30 સપ્ટેમ્બરના રોજ રાત્રે નવ વાગ્યાથી વિશાળ અને પારિવારિક વેલકમ નવરાત્રી મહોત્સવ થનગનાટ માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં એક લાખ વોલ્ટની અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે જાણીતા કલાકારો ગરબા શોખીનોને ડોલાવશે. અહીં સંસ્કૃતિ અને સભ્યતાના સમન્વય સાથે પારંપરિક રાસ ગરબા નિહાળવા આવતા પ્રેક્ષકો માટે વિનામૂલ્યે એન્ટ્રી રાખવામાં આવી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયેલા આ નવરાત્રી મહોત્સવમાં સામાજિક, શૈક્ષણિક, રાજકીય, સેવાકીય વિગેરે તમામ ક્ષેત્રના સદગૃહસ્થો જોડાશે.
આ માટે શિક્ષણવિદ્દ માહીભાઈ સતવારા, સહિતના આયોજકો, સહયોગીઓ દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ રાસોત્સવને નિહાળવા માટે સહભાગી થવા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના લોકોને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech