અનુષ્કાનો જન્મ અયોધ્યામાં થયો હોઇ રામનગરી સાથે છે ખાસ કનેક્શન
અનુષ્કા શર્મા પતિ વિરાટ કોહલી સાથે રામ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપશે. પ્રાણ પ્રતિષ્ઠા વિધિ 22 જાન્યુઆરીએ થશે અને આખું મંદિર સરયુ નદીના પાણીથી ધોવાશે. અનુષ્કાનો જન્મ અયોધ્યા શહેરમાં જ થયો હતો અને તેના પિતા ત્યાં ડોગરા રેજિમેન્ટમાં કામ કરતા હતા.
અયોધ્યામાં રામ મંદિરના અભિષેકનો દિવસ નજીક છે. આ પ્રસંગે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં એક મોટા સમારોહનું આયોજન કરવામાં આવશે, જેના માટે રમતગમતથી લઈને બોલિવુડ અને બિઝનેસ સુધી દરેક ક્ષેત્રની મોટી હસ્તીઓને આમંત્રણ પત્રો મોકલવામાં આવ્યા છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ઘણા બોલિવુડ સ્ટાર્સને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. હવે આ લિસ્ટમાં અનુષ્કા શર્મા અને તેના પતિ વિરાટ કોહલીનું નામ પણ સામેલ થઈ ગયું છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને પણ રામ મંદિરના અભિષેક સમારોહ માટે આમંત્રણ મળ્યું છે. એક્સ પર તેની ચર્ચા થઈ રહી છે અને અનુષ્કા-વિરાટની તસવીર પણ વાયરલ થઈ રહી છે. જેમાં ભગવાન રામના અભિષેક સમારોહ માટેનું આમંત્રણ પત્ર બંને હાથમાં જોવા મળે છે.
રામની નગરી અયોધ્યા સાથે અનુષ્કાનું ખાસ ક્નેક્શન છે. તેમનો જન્મ 1 મે 1988ના રોજ અયોધ્યામાં થયો હતો. બાદમાં તે પોતાનું કરિયર બનાવવા માટે મુંબઈ શિફ્ટ થઈ ગઈ. અનુષ્કાનો જન્મ અયોધ્યાની મિલિટ્રી હોસ્પિટલમાં થયો હતો. તેના પિતા અજય કુમાર શર્મા અયોધ્યામાં ભારતીય સેનાની ડોગરા રેજિમેન્ટમાં હતા.
અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહની વાત કરીએ તો તેની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી. તેમાં લગભગ 8 હજાર લોકો ભાગ લઈ શકશે. શ્રી રામ મંદિરના પવિત્ર ચોખા અને અનાજ દેશના ખૂણે ખૂણે વહેંચવામાં આવ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રજનીકાંત, મોહનલાલ અને અમિતાભ બચ્ચન સિવાય રણબીર કપૂર, આલિયા ભટ્ટ, રામ ચરણ અને તેમની પત્ની ઉપાસના, અરુણ ગોવિલ, સુનિલ લહેરી અને દીપિકા ચિખલિયા, અનુપમ ખેરને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech