જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી રાજકોટ દ્વારા ફેરફાર રીપોર્ટ અને અરજીઓના નિકાલ માટે ખાસ ઝુંબેશ શરુ કરવામાં આવી હતી જે અંતર્ગત કચેરી દ્વારા અરજીઓના વિશાલ હિતમાં નિકાલ કરવામાં આવ્યા છે.
ચેરીટી કમિશ્નર ગુજરાત રાજ્ય અમદાવાદ આર વી વ્યાસની સુચના અને માર્ગદર્શન હેઠળ તા.૨૨/૧/૨૦૨૫ તથા તા.૨૩/૧/૨૦૨૫ ના રોજ ઇન્ચાર્જ નાયબ ચેરીટી કમિશ્નર પૃથ્વીરાજસિંહ બી જાડેજા દ્વારા રાજકોટ જીલ્લા અને શહેરમાં નોંધાયેલા ટ્રસ્ટોના પડતર ૨૪૮ ફેરફાર રીપોર્ટ પૈકી ૧૯૫ ફેરફાર રિપોર્ટનો ટ્રસ્ટના વિશાળ હિતમાં નિકાલ કરવામાં આવેલ છે.
કચેરીમાં નવા ટ્રસ્ટોની નોંધણી માટેની પડતર ૧૦૫ અરજીઓમાંથી ૫૧ અરજી તથા ૧૦ સોસાયટી નોંધણી અરજીઓનો ટ્રસ્ટના વિશાળ હિતમાં નિકાલ કરવામાં આવ્યો છે. જે નિકાલ ઝુંબેશ સફળ બનાવવા પૃથ્વીરાજસિંહ જાડેજા અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech