તાજેતરમાં રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્રારા ૧૦૦થી વધુ લાભાર્થીઓની લેટ ફાળવણી રદ કરવામાં આવી છે વારંવાર તાકિદ છતાં દસ્તાવેજ કે ભાડા કરાર કરવા માટે નહીં જતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ ફાળવણી રદ કરાયેલા આવાસો માટે ડા નવેસરથી અરજી ફોર્મ પ્રસિધ્ધ કરશે અને ડ્રો યોજીને અન્યને ફાળવણી કરવા કાર્યવાહી હાથ ધરાશે. ટુંક સમયમાં આ અંગેની સતાવાર જાહેરાત કરાશે.
વિશેષમાં ડાના મુખ્ય કારોબારી અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ઇડબ્લ્યુએસ–૨ પ્રકારના ટી.પી.સ્કિમ નં.૧૭, એફ.પી.૭૯, આદિત્ય હાઉસિંગ કો–ઓપરેટીવ સર્વિસ સોસાયટી, ફિલ્ડ માર્શલ વાડી પાસે, કાલાવડ રોડ, મુંજકા, રાજકોટમાં આવાસ ધારકોને આવાસ ફાળવેલ હતા, ફાળવણી બાદ ડામાં દસ્તાવેજ અને ભાડા કરાર કરવા માટે આવ્યા ન હોય તેવા લાભાર્થીઓને ડા દ્રારા વારંવાર નોટીસ આપવામાં આવી હતી તેમ છતાં આજ દિવસ સુધી આવાસધારકો દ્રારા દસ્તાવેજ–ભાડાકરાર કરાવેલ નથી તેવા વધુ ૮૪ લાભાર્થીને ફાળવવામાં આવેલ લેટ રદ કરવામાં આવ્યા છે. આ સહિત છેલ્લા એક પખવાડિયામાં કુલ ૧૦૦થી વધુ ફલેટની ફાળવણી રદ કરવામાં આવી છે
ભાડે આપેલા આવાસ અંગે ચેકિંગ કેમ નહીં ?
પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્રારા ડા વિસ્તારમાં ઘર વિહોણા પરિવારોને ઘરનું ઘર આપવાના શુભ હેતુથી નિર્માણ કરાયેલી આવાસ યોજનાઓમાં આવાસ મેળવ્યા બાદ અનેક લાભાર્થીઓ આવાસો ભાડે આપતા હોવાની વ્યાપક લોકફરિયાદ છે ત્યારે આ અંગે પણ સરપ્રાઇઝ ચેકિંગ કરી આવાસ ફાળવણી રદ કરવામાં આવે તેવી લોકમાંગણી છે. આવાસ યોજનાના અમુક રહીશોએ આ અંગે અગાઉ ફરિયાદો કરી હતી પરંતુ ડાની આવાસ યોજના શાખાના સ્ટાફની આવાસો ભાડે આપનાર સામે મિલીભગત હોય કે અન્ય કોઇ કારણ હોય કયારેય આ અંગેનું ચેકિંગ કરાતું નથી. રાજકોટ મહાપાલિકા દ્રારા સમયાંતરે વિવિધ આવાસ યોજનાઓમાં સ્થળ તપાસ કરીને ભાડુઆતો રહેતા હોય તેવા આવાસો ખાલી કરાવી સીલ કરવામાં આવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech