અરવલ્લી જિલ્લામાં આવેલા મોડાસાના ગડાદર નજીક અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઇવે પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક કાર પુલ પરથી નીચે પટકાઈ હતી અને આ ઘટનામાં એક બાળક સહિત ચાર લોકોના મોત થયા છે.
મળતી માહિતી મુજબ, આ કારમાં સવાર પરિવાર શામળાજી મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. દુર્ઘટના સ્થળ નજીક કાર ચાલક કદાચ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી બેઠો હશે અને કાર પુલ પરથી નીચે પટકાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ચારેય મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાહત કાર્યકર્તાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતક પરિવારના સભ્યોના નિધનથી ગામમાં શોકનું વાતાવરણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech