વીંછીયાના અમરાપુર ગામે પુત્રીને ભગાડી જવાના મનદુઃખમાં માતા-પુત્રી પર સશસ્ત્ર હુમલો

  • June 06, 2025 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીંછીયાના અમરાપર ગામે પુત્રીને ભગાડી જવાના મનદુઃખમાં માતા-પુત્રી ઉપર મહિલાઓ સહીત નવ વ્યક્તિઓએ લોખંડના પાઇપ, ખરપીયા, લાકડી અને પથ્થર વડે હુમલો કરવામાં આવતા બંનેને ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે પોલીસે પાંચ મહિલા સહીત નવ વ્યક્તિઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બનાવામાં વિંછીયાના અમરાપુર ગામે રહેતા અને હીરા ઘસવાની મજૂરી કામ કરતા ભાવુબેન મનજીભાઈ ડાભી (ઉ.વ.40)નાએ નોંધાવેલી ફરિયાદમાં નાથા કુંરજીભાઈ વાસાણી તેના પત્ની સમુબેન, હરેશ સામજીભાઇ વાસાણી તેના પત્ની ભારતીબેન, જસમત સામજીભાઈ વાસાણી અને તેના પત્ની લીલાબેન, શાંતુબેન સામજીભાઈ વાસાણી, ગીતાબેન રમેશભાઈ વાસાણીના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈકાલે મારી દિકરી શિતલ તેના દિકરા સાત્વિકને લઈને મારા ઘરે ભીમ અગિયારસનો તહેવાર કરવા માટે આવી હતી. અને બપોરે ઘરે હતા ત્યારે અમરાપુર ગમે રહેતા નાથાભાઈ કુંરજીભાઈ વાસાણી, હરેશભાઈ સામજીભાઇ વાસાણી, જસમતભાઈ સામજીભાઈ વાસાણી, હરેશભાઈના પત્ની ભારતીબેન, જસમતભાઇના પત્ની લીલાબેન, નાથાભાઇના પત્ની સમુબેન, શાંતુબેન સામજીભાઈ વાસાણી, ગીતાબેન રમેશભાઈ વાસાણી બધા એકસંપ થઇ ગેરકાયદેસર મંડળી રચી લોખંડના પાઇપ, ખરપિયો, લાકડી લઈને અમારા ઘરે ધસી આવ્યા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. તેમને ગાળો આપવાની ના પાડતા વધુ ઉશ્કેરાઈ દીકરી શીતલને આડેધડ મારમારવા લાગ્યા હતા. દરમ્યાન મારો દિકરો જયદિપ છોડાવવા વચ્ચે પડતા ચતુર રામજીભાઈ વાસાણીએ તેને પથ્થરનો ઘા માર્યો હતો. રાડા-રાડી થતા આ બધા જતા જતા મારી નાખવાની ઘમકી આપી હતી.

હુમલો કરવા પાછળનું કારણ એવું હતું કે, પાંચેક દિવસ પહેલા મારા દિકરા રોહીતએ હરેશ શામજીભાઈ વાસાણીની દિકરી રવિનાએ બન્ને ભાગી ગયેલ હોય જે બાબતનો ખાર રાખીને હુમલો કર્યો હતો. વિછિયા પોલીસેઆગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News