ચોમાસું એ વરસાદ, ભેજ અને વીજળીના વધારે પડતા ઉપયોગનો સમયગાળો છે.આ સમયગાળામાં વીજ ઉપકરણો (ઇલેક્ટ્રિકલ ઉપકરણો)ને વધુ જોખમોનો સામનો કરવો પડે છે. ભેજ,પાણીના છાંટા અને વીજળીના ફટકારા વગેરેના કારણે ઉપકરણો નષ્ટ થઈ શકે છે અથવા તેમનું કામગીરી પર ખરાબ અસર પડી શકે છે.તેથી, ચોમાસા પહેલાં વીજ ઉપકરણોનું સમારકામ અને જરી જાળવણી કરાવવી અત્યંત જરૂરી છે.
પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતુ કે,ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે વીજ ઉપકરણોના સર્કિટ, વાયર અને અન્ય ઇલેક્ટ્રિકલ ભાગોમાં ઓક્સિડેશન (જંગ) લાગવાની સંભાવના વધે છે.આના કારણે ઉપકરણોની કાર્યક્ષમતા ઘટી શકે છે અથવા શોર્ટ સર્કિટ જેવી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે.ચોમાસામાં વીજળીના ફટકારાની સંભાવના વધી જાય છે.જો ઘરની વાયરિંગ યોગ્ય રીતે ઇન્સ્ટોલ ન હોય અથવા ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં કોઈ ખામી હોય, તો વીજળીના ફટકારાનું જોખમ વધી જાય છે.વરસાદ અને વીજળીના કારણે પાવર સપ્લાયમાં અસ્થિરતા આવી શકે છે. આવી સ્થિતિમાં જો ઉપકરણો સીધા જ કનેક્ટેડ હોય, તો તેમને નુકસાન થઈ શકે છે.ચોમાસા પહેલા ધુળ અને કીટકો ઉપકરણોમાં પ્રવેશી શકે છે, જેના કારણે ઉપકરણોની અંદરની વાયરિંગ અથવા કમ્પોનન્ટ્સ ખરાબ થઈ શકે છે.
રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે,ઘરના તમામ ઇલેક્ટ્રિકલ ઉપકરણો, જેમ કે ફ્રિજ, એ.સી, વોટર પંપ, ટી.વી, કમ્પ્યુટર, વગેરેની ચકાસણી કરાવવી,વાયરિંગ, પ્લગ, સ્વિચ અને અન્ય કનેક્શન્સ યોગ્ય રીતે કામ કરે છે કે નહી તે તપાસવુ,જો કોઈ ભાગ ખરાબ લાગે, તો તરત જ સમારકામ કરાવવુ,વોલ્ટેજના ફ્લક્ચુએશનથી બચવા માટે સર્જ પ્રોટેક્ટર અથવા વોલ્ટેજ સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરવો,ખાસ કરીને મહત્વપુર્ણ અને મોંધા ઉપકરણો જેવા કે ફ્રિજ, એ.સી, ટી.વી, કમ્પ્યુટર વગેરેને સ્ટેબિલાઇઝર સાથે જોડવા જોઈએ,ઉપકરણોને શુષ્ક અને સુરક્ષિત સ્થળે રાખવા,જો ઉપકરણોમાં ભેજ ભરાઈ ગયો હોય, તો તેનો ઉપયોગ ન કરતા પ્રથમ સુકવી લેવુ,સિલિકા જેલ પેકેટ્સનો ઉપયોગ કરી ઉપકરણોની આસપાસનો ભેજ ઓછો કરી શકાય છે.ઘરની વીજ વ્યવસ્થામાં યોગ્ય ગ્રાઉન્ડિંગ હોવી જોઈએ, જેથી વીજળીના ફટકારાનું જોખમ ઘટે,જો ગ્રાઉન્ડિંગ ખરાબ હોય, તો ઇલેક્ટ્રિશિયન દ્વારા તેને ઠીક કરાવવું,મીટર બોક્સ, મેન સ્વિચ, ફ્યુઝ બોક્સ અને વિવિધ પ્લગ પોઇન્ટ્સની ચકાસણી કરવી,જો કોઈ સ્વિચ અથવા વાયર ખુલ્લું હોય, તો તેને યોગ્ય રીતે સીલ કરવુ,જનરેટર/ઇન્વર્ટરની બેટરી અને અન્ય ભાગોની ચકાસણી કરવી.ઉપકરણોની અંદર અને બહારની ધુળ સાફ કરવી,એન્ટી-કોકરોચ અને એન્ટી-ઇન્સેક્ટ સ્પ્રેનો ઉપયોગ કરી ઉપકરણોમાં કીટકો પ્રવેશ ન કરે તેની ખાત્રી કરવી જોઈએ.
વરસાદ દરમિયાન ઇલેક્ટ્રિકલ ઉપકરણોનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો,હાથ ભીના હોય ત્યારે સ્વિચ અથવા પ્લગને સ્પર્શ ન કરવો,ઉપકરણોને દિવાલથી થોડું અંતરે રાખવા, જેથી ભેજથી બચાવ થાય,જો કોઈ ઉપકરણમાંથી અસામાન્ય અવાજ અથવા ધુમાડો આવે, તો તરત જ તેનો ઉપયોગ બંધ કરી ઇલેક્ટ્રિશિયનને બોલાવવો જોઈએ.
વધુમાં રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે,ચોમાસા પહેલાં વીજ ઉપકરણોનું સમારકામ અને જાળવણી કરવી એ માત્ર ઉપકરણોની લાંબી ઉમર માટે જ નહી, પરંતુ સલામતીની દ્રષ્ટિએ પણ અત્યંત જરી છે. યોગ્ય સમારકામ અને સજાગતાથી ચોમાસામાં થતી ઇલેક્ટ્રિકલ સમસ્યાઓથી બચી શકાય છે અને ઘરની સુરક્ષા સુનિશ્ર્ચિત કરી શકાય છે.તેથી, ચોમાસા આગમન પહેલાં તમામ વીજ ઉપકરણોની ચકાસણી અને જરૂરી સમારકામ કરાવવું ન ભુલો તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ એરપોર્ટ બંધ થવાથી મુસાફરો પરેશાન, રેલવેએ આ બે શહેરો માટે ખાસ ટ્રેનો શરૂ કરી
June 12, 2025 09:52 PMઅમદાવાદમાં વિમાન ક્રેશ કેમ થયું? અમેરિકાથી આવ્યો મોટો રિપોર્ટ
June 12, 2025 09:16 PMઅમદાવાદ એરપોર્ટ પર પ્લેન ક્રેશ: ટેક-ઓફ બાદ જ દુર્ઘટના, CCTV સામે આવ્યા!
June 12, 2025 08:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech