આ કેસની હકીકત મુજબ રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ ઉપર નાણાવટી ચોક પાસે આવેલી ગાંધીગ્રામ સોસાયટીમાં રહેતો નરશી મૂળજીભાઈ નાગર નામનો શખ્સ રેસકોર્સના ખુલ્લા ગ્રાઉન્ડમાં ગાંજાનો જથ્થો લઈને આવવાનો હોવાની બાતમીના આધારે પોલીસે નરશી નાગરને 3.467 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ અંગે પ્ર.નગર પોલીસે 15/ 3/ 2025ના એનડીપીએસ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી નરશી નાગરને જેલ હવાલે કર્યો હતો. દરમિયાન આરોપીએ પોતાના વકીલ મારફતે રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન મુક્ત થવા જામીન અરજી દાખલ કરી હતી. તે અરજી અન્વયે આરોપીના વકીલે રજૂઆત કરી હતી કે, પકડાયેલો જથ્થો ઇન્ટરમીડીયેટ ક્વોન્ટિટીનો છે, આરોપી બે મહિનાથી બે માસથી વધુ સમયથી જેલમાં છે, તેના જામીન મંજૂર થવા જોઈએ. બંને પક્ષના વકીલોની રજૂઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઇ કોર્ટે આરોપી નરશી નાગરને જામીન મુક્ત કરતો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી વતી યુવા એડવોકેટ રણજીતભાઈ એમ. પટગીર, સાહિસ્તાબેન એસ. ખોખર, પ્રહલાદસિંહ ઝાલા અને મિતેશ ચાનપુરા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech