ભાવનગર જિલ્લામાં ડુંગલીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. ત્યારે જિલ્લામાં ડુંગળીની ઉત્પાદન પણ વધી જાય છે. અને હાલ ડુંગળીની સીઝન પૂર્ણ થતા ખેડૂતો જિલ્લાના તમામ માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની ડુંગળી વેચવા પહોંચી રહ્યા છે. જેમાં ખાસ કરીને જિલ્લાના મુખ્ય ત્રણ યાર્ડ જેમાં મહુવા, ભાવનગર ચિત્રા ફુલસર અને તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો વધુ ડુંગળી લાવે છે. જેમાં હવે તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ડુંગળીની મબલખ આવક થતા યાર્ડ તંત્ર દ્વારા આગળની સૂચના સુધી ડુંગળી લાવવા પર પ્રતિબંધ મુકાયો છે. તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા દરેક ખેડુતભાઈઓ, કમીશન એજન્ટ ભાઈઓ તથા વાહન માલીકોને જાણ કરવામાં આવી હતી કે, યાર્ડના ગ્રાઉન્ડમાં ડુંગળી ઉતારવાની જગ્યા ન હોય અને વહીવટી અનુકુળતા ન હોવાથી આગામી બે દિવસ શનિવાર અને રવિવાર હરરાજીનું કામકાજ બંધ હોવાના કારણે રાત્રીના ૨:૦૦ કલાકથી ડુંગળી પ્રવેશપર સંપુર્ણ પ્રતિબંધ કરવામાં આવેલ છે. એક વખત ડુંગળી લાવેલ હોય અને બીજી વાર આવક લાવશે તો પણ ડુંગળી ઉતારવા દેવામાં આવશે નહિ. છતા પણ જો કોઈ ખેડૂત ડુંગળી લઈને આવશે તેમને પરત લઈ જવાની ફરજ પડશે જેની ગંભીર નોંધ લેવા સૂચના આપી હતી. હવે પછી માર્કેટીંગ યાર્ડ દ્રારા બીજી સૂચના સુધી ડુંગળી આવક પર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અને જે અંગે ખેડૂતભાઈઓએ સહકાર આપવા યાર્ડના ચેરમેન, વાઈસ ચેરમેન અને યાર્ડ તંત્ર દ્વારા અનુરોધ કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech