આગામી તા. 7 ના બકરી ઈદનો તહેવાર છે. જેને લઇ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં એવી તાકીદ કરવામાં આવી છે કે, પશુઓની જાહેરમાં કુરબાની(કતલ) કરવી નહીં તેમજ પશુઓના માંસ સહિતના અવશેષો જાહેરમાં ફેંકવા નહીં.
આગામી તા. 7/6 ના રોજ મુસ્લિમો બકરી ઈદના પર્વની ઉજવણી કરશે. આ તહેવારની ઉજવણી પ્રસંગે અમુક પ્રકારના જાનવરોની કુરબાની આપવામાં આવે છે. આ કુરબાની જાહેર કે ખાનગી સ્થળે મોહલ્લા કે ગલીમાં દેખાય તે રીતે કોઈપણ પશુની કતલ કરવાથી અન્ય ધર્મ સમુદાયના લોકોને લાગણી દુભાવવાના કારણે સુલેહ શાંતિનો ભંગ થવાનું સંભવ રહે છે. આવી પરિસ્થિતિને ધ્યાને લઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેટલાક પ્રતિબંધ મૂકતું જાહેરનામું પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા આ જાહેરનામા જણાવ્યું છે કે, કોઈપણ વ્યક્તિએ કોઈપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં શેરીઓમાં કે મહોલ્લામાં વગેરે જગ્યાએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહીં. તેમજ કોઈપણ પ્રાણીને શણગારીની એકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઈ જવા કે ફેરવવા નહીં. બકરી ઈદ તહેવાર નિમિત્તે કુરબાની પછી જાનવરના માંસ, હાડકા અને અન્ય અવશેષો જાહેરમાં ફેંકવાની સહિતની બાબતો અંગે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાની અમલવારી તા. 5/6/2025 થી તા. 8/6/ 2025 સુધી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech