સ્થાનિક બજારોમાં નિયમનકારી પગલાં અને ચુસ્ત ભંડોળની સ્થિતિને કારણે બેન્કો અને નોન–બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ માટે ધિરાણ વૃદ્ધિ ધીમી રહેવાની ધારણા છે. આ અંદાજ એક રિપોર્ટમાં વ્યકત કરવામાં આવ્યો છે. રેટિંગ એજન્સી ઇક્રાનો અંદાજ છે કે નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫માં બેન્ક ક્રેડિટ ગ્રોથ લગભગ ૧૨ ટકા ધીમો થઈને . ૧૯–૨૦.૫ લાખ કરોડ થશે. નાણાકીય વર્ષ ૨૦૨૩–૨૪માં તે ૧૬.૩ ટકાના વધારા સાથે . ૨૨.૩ લાખ કરોડ હતો.
ઇક્રાએ જણાવ્યું હતું કે નોન–બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ માટે એસેટ અંડર મેનેજમેન્ટમાં વૃદ્ધિ ૨૦૨૩–૨૪માં ૨૫ ટકાથી ચાલુ નાણાકીય વર્ષમાં ધીમી ધીમી ૧૬થી ૧૮ ટકા થવાની ધારણા છે. કેટલાક બેંકિંગ એકમો પર તાજેતરમાં લેવાયેલા નિયમનકારી પગલાં અન્ય કંપનીઓને તેમની વ્યવસાય પ્રથાઓ અને સિસ્ટમોમાં ગોઠવણો કરવા દબાણ કરશે, જે નજીકના ભવિષ્યમાં વૃદ્ધિને અસર કરશે.
ઇક્રાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને કો–ગ્રુપ હેડ અનિલ ગુાએ જણાવ્યું હતું કે જેમ જેમ વ્યાજ દરમાં કાપનો ચક્ર શ થશે, બેન્ક ક્રેડિટ ગ્રોથ ધીમો કરવા માટેના નિયમનકારી પગલાં બેન્કો માટે તેમના ડિપોઝિટ રેટમાં ઘટાડો કરવા માટે મહત્વપૂર્ણ હશે. કારણ કે ૨૦૨૫ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં અપેક્ષિત પોલિસી દરમાં ઘટાડો ધિરાણના દરો પર દબાણ લાવશે.
બેન્ક ફંડસ નોન–બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ માટેના કુલ ભંડોળનો મોટો હિસ્સો ધરાવે છે. તેથી નોન–બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓમાં બેંકોમાંથી ધીમો ધિરાણ પ્રવાહ પણ તેમની એયુએમ વૃદ્ધિને તોલવી શકે છે. એ. એમ.કાર્તિકે, વરિ વાઇસ–પ્રેસિડેન્ટ અને કો–ગ્રુપ હેડે જણાવ્યું હતું કે, રેટિંગ એજન્સી કરશે. અસુરક્ષિત અને ડિજિટલ ધિરાણ વ્યવસાયમાં નોન–બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓને અન્ય કરતા ભંડોળમાં મોટી તંગીનો સામનો કરવો પડશે.
ઇક્રાએ જણાવ્યું હતું કે માઇક્રો ફાઇનાન્સ, પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ અથવા અનસિકયોર્ડ બિઝનેસ લોન સેગમેન્ટમાં ડિફોલ્ટ કેસ પહેલેથી જ વધી રહ્યા છે. એવી આશંકા છે કે આ મોટા પ્રમાણમાં અસુરક્ષિત વિસ્તારો નજીકના ભવિષ્યમાં ચિંતાનો વિષય બની રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના જંગલમાં થયેલા દબાણ ઉપર દાદાનું બુલડોઝર કયારે ફરશે?: કોંગ્રેસ
June 09, 2025 02:56 PMપોરબંદરમાં મહિલા પતંજલિ યોગ સમિતિની યોજાઇ બેઠક
June 09, 2025 02:54 PMરબારી સમાજના પીઢ આગેવાનને શ્રધ્ધાસુમન થયા અર્પણ
June 09, 2025 02:53 PMબરડા જંગલને બચાવવા દબાણ દુર કરવા ખુબ જરી
June 09, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech