મોટી સંખ્યામાં જોડાયા વૈષ્ણવો
સલાયા પાસે આવેલ બારા ગામે પ્રસિદ્ધ શ્રી જમુનેસ મહાપ્રભુજી ની બેઠક મુકામે શરદ પૂનમની રાતે ભવ્ય ધાર્મિક રાસોત્સવ યોજાયો હતો. જેમાં વર્ષમાં ફક્ત એક શરદ પૂનમની રાતે ઠાકોરજીના ચિત્રજીને બહાર ચંદ્રના અજવાળામાં પધરાવવામાં આવે છે. તેમજ દૂધ પૌહા અને મેવાનો ભોગ ધરવામાં આવે છે. આ પ્રસંગ વર્ષમાં એકવાર જ આવે છે કે ઠાકોરજીના ચિત્રજીને નિજ મંદિર બહાર પધરાવાય છે. બાદમાં ઠાકોરજી સમક્ષ કીર્તન સાથે ભાઈઓ અને બહેનો રાસ રમે છે. તેમજ ઠાકોરજીના ગુણગાન ગાય છે. અને રાત્રીના અંતે ઠાકોરજીના ધરાવેલ દૂધ પૌહાંનો મહા પ્રસાદ વૈષ્ણવો લઈ ધન્ય થાય છે. આ ધાર્મિક રીતે શરદ પૂનમનાં યોજાતા રાસોત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો પધારે છે. ઠાકોરજીને સુંદર શણગાર અદા શ્રી કિશોર અદા દ્વારા કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech