પોરબંદર, કુતિયાણા અને રાણાવાવમાં આજે બ્લેકઆઉટ થશે તેથી નાગરિકોને ઘરના બલ્બ, ટ્યૂબલાઈટ્સ સ્વયંભૂ બંધ રાખવા અપીલ થઇ છે.
પોરબંદર જિલ્લામાં તા.૩૧ મેના રોજ સાંજે ૮ વાગે ઓપરેશન શિલ્ડ અંતગર્ત બ્લેક આઉટ કરવામાં આવશે આ બ્લેક આઉટ મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો છે. જે અન્વયે જિલ્લા કલેકટર બી. બી. ચૌધરી અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પોરબંદર ખાતે બેઠક યોજાઈ હતી.જેમાં જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, પોરબંદર શહેર, રણાવાવ નગરપાલિકા અને કુતિયાણા નગરપાલિકા વિસ્તારમાં તા.૩૧ મે સાંજે ૮ વાગે ઓપરેશન શિલ્ડ અંતગર્ત બ્લેક આઉટ કરવામાં આવશે અને બ્લેકઆઉટ મોકડ્રીલ માટે જરી વ્યવસ્થાઓ અને લોકોમાં જાગૃતતા લાવવા સહિતની કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત આકસ્મિક પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે બ્લેકઆઉટ (અંધારપટ)ની મોકડ્રીલ તા.૩૧ મે ૨૦૨૫ના રોજ રાત્રે ૮ થી ૮.૩૦એટલે કે ૩૦ મિનિટ સુધી યોજાશે. જેમાં પોરબંદરવાસીઓને સ્વેચ્છાએ પોતાના ઘરની લાઈટ બંધ કરવા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઈ છે. આ બ્લેકઆઉટમાં હોસ્પિટલ સહિતની ઈમરજન્સી સેવાઓને મુક્તિ આપવામાં આવી છે. અને નાગરિકોએ કોઈપણ પ્રકારની લાઇટ ચાલુ ના રાખવામાં આવે તે માટે પણ અનુરોધ કરાયો છે. અત્રે નોંધનીય છે કે, ઓપરેશન શિલ્ડઅંતર્ગત મોકડ્રિલ યોજવાનો ઉદ્દેશ કઠિન પરિસ્થિતિમાં જાહેર જનતા કઈ રીતે સરકારને મદદપ થઈ શકે તે સુનિશ્ર્ચિત કરવા સાથે સ્થાનિક તંત્ર સાથે સહયોગ સાધવા માટેનો છે. આ મોકડ્રીલથી નાગરિકોને ડર કે ભય અનુભવવાની જરિયાત નથી.વધુમાં આ મોકડ્રિલ સમયે સાયરન વાગે તો નાગરિકોએ ગભરાવું નહીં. અને રાત્રે ૮ કલાકે સાયરન વાગશે ત્યારે સ્વેચ્છાએ ઘરની લાઈટ બંધ કરવાની રહેશે અને ૮.૩૦ કલાકે સાયરન વાગશે ત્યારે લાઈટ ચાલુ કરવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech