મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ હશે તે હજુ નક્કી નથી થયું. મુંબઈમાં મળનારી મહાયુતિની બેઠક રદ કરવામાં આવી છે. અને શિવસેનાના ધારાસભ્યોની બેઠક પણ રદ્દ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ બંને બેઠક બે દિવસ પછી થશે. મહાયુતિની બેઠક નહીં થાય, કારણ કે એકનાથ શિંદે સાતારા ગામ જવાના છે.
પ્રાપ્ત માહિતી મુજબ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનના હોદ્દા પર સર્વસંમતિ છે, પરંતુ કેટલાક પ્રધાન પદોની ફાળવણી હજુ નક્કી થઈ નથી. પ્રાપ્ત માહિતી મુજબ બે ડેપ્યુટી સીએમ સાથે એક મુખ્યમંત્રીની હાલની ફોર્મ્યુલા ચાલુ રહેશે, પરંતુ એકનાથ શિંદેને ડેપ્યુટીની ભૂમિકામાં રસ નથી. ધારાસભ્ય અને શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું, એકનાથ શિંદે નાયબ મુખ્યપ્રધાન બને તેવી શક્યતા નથી. તે પહેલાથી જ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે." ભાજપ પાસે ગૃહ વિભાગ અને અજિત પવારની પાર્ટી એનસીપી પાસે નાણાં વિભાગ હોવાની શક્યતા છે. એકનાથ શિંદેની શિવસેનાને શહેરી વિકાસ અને જાહેર બાંધકામ વિભાગ મળે તેવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાજપને 22 કેબિનેટ મંત્રી પદ મળવાની સંભાવના છે, જ્યારે શિવસેના અને એનસીપીને અનુક્રમે 12 અને 9 વિભાગો મળી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech