રાજકોટ મહાપાલિકાનો વોર્ડ નં.14 કે જે હેલ્થ કમિટિ અને સેનિટેશન કમિટીના ચેરમેનનો વોર્ડ છે ત્યાં આગળ કેનાલ રોડ ઉપરના હાથીખાના વિસ્તારમાં 30 વર્ષીય મહિલાનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવતા મહાપાલિકા તંત્રમાં દોડધામ મચી ગઇ છે અને સમગ્ર વિસ્તારમાં સઘન સર્વે શરૂ કરાયો છે, ચોમાસામાં પણ આ વિસ્તારમાંથી કોલેરાના કેસ મળ્યા હતા તે નોંધનીય છે.
વિશેષમાં મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, શહેરના હાથીખાના શેરી નં.3, રામનાથપરા વિસ્તારમાંથી એક શંકાસ્પદ કોલેરાનો કેસ જોવા મળતા પરીક્ષણ માટે સેમ્પલ કલેક્ટ કરીને મોકલવામાં આવેલ જેનું રીઝલ્ટ પોઝીટીવ આવેલ છે. કોલેરાનો કેસ મળ્યા બાદ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા સીરમ અને સ્ટુલના પાંચ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તદઉપરાંત પાણીના બેકટોરોલોજીકલ પરિક્ષણ માટે બે સેમ્પલ લેવામાં આવ્યા હતા જેના રીઝલ્ટ પેન્ડીંગ છે. સમગ્ર વિસ્તારમાં કુલ સાત ટીમ દ્વારા 107 રેસીડયુઅલ કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.તદઉપરાંત 1424 ઘરનો સર્વે કરવામાં આવ્યો હતો અને 11,780 કલોરીન ટેબલેટનું વિતરણ કરાયું હતું. 3936 નાગરિકોનો હેલ્થ સર્વે કરાયો હતો. જ્યારે સાત મેડિકલ કેમ્પ તેમજ 63 ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે આરોગ્ય શાખાના સ્ટાફ દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા તથા સ્વસ્છતા રાખવા જમતા પહેલા સાબુથી હાથ ધોવા તેમજ ક્લોરીન ટેબ્લેટનો ઉપયોગ કરવા જાણ કરવામાં આવેલ છે. સર્વે દરમ્યાન પીવાના પાણીના પત્રોની સફાઈ કરવા માટે સુચના આપવામાં આવેલ છે. વિસ્તારમાં મોબાઈલ મેડિકલ વાન દ્વારા દૈનિક મેડિકલ કેમ્પ્નું આયોજન કરવામાં આવેલ છે તેમજ સાફ-સફાઈ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech