ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર દ્વારા પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્મ જયંતી કાર્યક્રમ અંતર્ગત શહેર અધ્યક્ષ કુણાલ શાહ ના માર્ગદર્શન મુજબ ભાવનગર પૂર્વ વિધાનસભામાં ક્રેસન્ટ સર્કલ ખાતેથી તથા ભાવનગર પશ્ચિમ વિધાનસભાના મસ્તરામ બાપા મંદિર, ચિત્રા ખાતેથી પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકરજી ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યુ હતું. આ યાત્રા ભાવનગર પૂર્વ વિધાનસભા તથા ભાવનગર પશ્ચિમ વિધાનસભાના તમામ વોર્ડના રાજમાર્ગો પર ફરી હતી.
આ શોભાયાત્રામાં મેયર ભરત બારડ, ગુજરાત પ્રદેશ યુવા મોર્ચાના ઉપાધ્યક્ષ હરેન્દ્રસિંહ ગોહિલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રાબડીયા, કાર્યક્રમના ઇન્ચાર્જ અને પૂર્વ શહેર મહામંત્રી પાર્થ ગોંડલીયા, કાર્યક્રમના સહ - ઇન્ચાર્જ અને ડે. મેયર મોનાબેન પારેખ, શાસક પક્ષના નેતા કિશોર ગુરુમુખાણી, દંડક ઉષાબેન બધેકા, વરિષ્ઠ આગેવાનો, પૂર્વ મહામંત્રી ઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિ ઓ, પૂર્વ શહેર સંગઠનના હોદ્દેદારો, શિક્ષણ સમિતિના સદસ્યો,શહેરના તમામ મોર્ચા - સેલના હોદ્દેદારો,તમામ વોર્ડના પ્રમુખ - મહામંત્રી ઓ તથા વોર્ડ સંગઠનના હોદ્દેદારો, શુભેચ્છકો તેમજ કાર્યકર્તા ઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech