અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશના ધાર્મિક સ્થળોમાં સફાઈ અભિયાન માટે આહવાન કર્યું છે. જામનગર જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં આવેલા ધાર્મિક સ્થળો પર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ સફાઈ અભિયાન નિયમિતપણે હાથ ધરવામાં આવી રહ્યું છે.
જે અન્વયે, કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી રામદેવજી મંદિર નવા રણુજા ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.એમ.કાથડ, ઇંચાર્જ જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારી એમ.બી.દવે, મામલતદાર ફાલ્ગુનીબેન પી.પુરોહિત, તાલુકા વિકાસ અધિકારી એચ.એન.ગોહિલ, ડિસ્ટ્ર્રિક્ટ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર વી.બી.ગોસ્વામી, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના કર્મચારીઓ, સખી મંડળના બહેનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો સહભાગી બન્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદોસાંઝની 'સરદારજી 3'માં હાનિયા આમિરને લોકોએ શોધી જ લીધી
June 09, 2025 12:15 PMએટલી અને અલ્લુ અર્જુન સાથે ફિલ્મ કરી રહેલી દીપિકાની એઆઈ ઈમેજ સામે આવી
June 09, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech