દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં હાલ રહેતી અને મહેન્દ્રભાઈ પ્રેમજીભાઈ સોઢાની 32 વર્ષની પરિણીત પુત્રી અંકિતાબેન સુનિલકુમાર પરમારને તેણીના લગ્ન જીવન દરમિયાન આણંદના કરમસદ ખાતે રહેતા તેણીના પતિ સુનિલભાઈ ઘનશ્યામભાઈ પરમાર, સસરા ઘનશ્યામભાઈ ચુનીલાલ, બાલાસિનોર ખાતે રહેતા નણંદ નેહલબેન અજયકુમાર પરમાર, ફઈજી સાસુ મીનાબેન નવીનચંદ્ર પરમાર તેમજ વડોદરાના તરસાલી ખાતે રહેતા નણંદ ઉન્નતીબેન હાર્દિકકુમાર ચૌહાણ દ્વારા તેણીના લગ્ન જીવન દરમિયાન મેણાટોણા મારી, મારકૂટ કરીને શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપવા અંગેની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે તમામ પાંચ સાસરીયાઓ સામે સ્ત્રી અત્યાચારની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
કલ્યાણપુરમાં બાઈક હંકારી જતા તસ્કરો
કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે રહેતા લતીફ સુલેમાનભાઈ સંઘાર નામના 23 વર્ષના યુવાનનું રૂપિયા 20,000 ની કિંમતનું મોટરસાયકલ કોઈ તસ્કરો ગત તારીખ 27 માર્ચના રોજ ગાગા ગામેથી ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ખંભાળિયામાં બે જુગારીઓ ઝડપાયા
ખંભાળિયાના મિલન ચાર રસ્તા પાસેની એક ઈંડાની લારી પાસેથી પોલીસે લુડો ગેમ ઉપર પૈસાની હારજીત કરતા અલી ઇબ્રાહીમ શેખ (ઉ.વ. 22) અને સુલેમાન ઉર્ફે બોદુ ઈબ્રાહીમ રૂંઝા (ઉ.વ. 55) ને ઝડપી લઇ, રૂપિયા 5,960 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech