કલકત્તા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને હવે લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ભાજપના ઉમેદવાર અભિજીત ગંગોપાધ્યાયે મહાત્મા ગાંધી અને નાથુરામ ગોડસે વિશે ટિપ્પણી કરી તેને લીધે વિવાદ થયો છે અને કોંગ્રેસે તેના પર નિશાન તાકયું છે.કોંગ્રેસના જનરલ સેક્રેટરી જયરામ રમેશે પોસ્ટ કરીને કહ્યું હતું કે હવે કહે છે કે તેઓ ગાંધી અને ગોડસે વચ્ચેની પસંદગી કરી શકતા નથી. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેમની ઉમેદવારી તરત જ પાછી ખેંચી લેવી જોઈએ જેમણે મહાત્માના વારસાને હડપ કરવામાં કોઈ કસર છોડી નથી. જયરામ રમેશે ટોણો માર્યેા, ફાધર ઓફ ડો–નેશન રાષ્ટ્ર્રપિતાની સુરક્ષા માટે શું કરશે?
અભિજિત ગંગોપાધ્યાયે કલકત્તા હાઈકોર્ટના જજ પદેથી રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ આ મહિનાની શઆતમાં (૫ માર્ચે) ભાજપમાં જોડાવાની પોતાની યોજનાની જાહેરાત કરી હતી. તે જ સમયે, રવિવારે (૨૪ માર્ચ) લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે જાહેર કરવામાં આવેલી ભાજપની પાંચમી યાદીમાં પણ તેમને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપે પશ્ચિમ બંગાળના તમલુકથી અભિજીત ગંગોપાધ્યાયને ટિકિટ આપી છે. તેઓ આ બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર દેવાંગશુ ભટ્ટાચાર્ય સામે ચૂંટણી લડી રહ્યા છે.
અભિજિત ગંગોપાધ્યાયે તાજેતરમાં એક બંગાળી ચેનલને કહ્યું હતું કે તેઓ ગાંધી અને ગોડસેમાંથી કોઈની પસંદગી કરી શકતા નથી. ઈન્ડિયા ટુડે અનુસાર, અભિજિત ભટ્ટાચાર્યએ આજ તક બાંગ્લાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, કાનૂની વ્યવસાય સાથે જોડાયેલ વ્યકિત તરીકે, મારે વાર્તાની બીજી બાજુ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે (નાથુરામ ગોડસે) શું લખ્યું છે તે મારે વાંચવું જોઈએ અને સમજવું જોઈએ કે તેમને મહાત્મા ગાંધીની હત્યા કરવા માટે શું ઉશ્કેરવામાં આવ્યું હતું. ત્યાં સુધી હત્પં ગાંધી અને ગોડસે વચ્ચે પસંદગી કરી શકતો નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદોસાંઝની 'સરદારજી 3'માં હાનિયા આમિરને લોકોએ શોધી જ લીધી
June 09, 2025 12:15 PMએટલી અને અલ્લુ અર્જુન સાથે ફિલ્મ કરી રહેલી દીપિકાની એઆઈ ઈમેજ સામે આવી
June 09, 2025 12:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech