પોરબંદર જિલ્લામાં અનેક રેશનકાર્ડ ધારકોની ઈ-કે.વાય.સી.ની કામગીરી બાકી હોવાથી કરાવી રહ્યા છે.
પોરબંદર જિલ્લાના એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકો અત્યારે પણ ઈ-કે.વાય.સી. કરાવી શકશે.
રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ નાગરિકોનું ઈ-કે.વાય.સી. કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
પોરબંદર જિલ્લાના નાગરિકોને મામલતદાર કચેરી,ગામમાં વીસી દ્વારા તેમજ ગામમાં સસ્તા અનાજની દુકાનોધારકો પાસે અત્યારે પણ ઈ-કે.વાય.સી.ની કામગીરી કરવામાં આવશે.જે નાગરિકોને ઈ કે.વાય.સી.કરવાનું બાકી છે,વહેલીતકે ઈ-કે.વાય.સી. કરાવી શકશે અને નાગરિકો ઘર બેઠા પણ પોતાનું ઈ-કે.વાય.સી. માય રેશન મોબાઇલ એપ્લીકેશન દ્વારા ફેસ ઓથેન્ટીકેશન મારફતે ઈ-કે.વાય.સી. કરી શકે છે.
ઉપરોક્ત જગ્યાઓ પર ઈ-કે.વાય.સી.ની કામગીરી ચાલું છે અને જે લોકોએ ઈ-કે.વાય.સી. કરાવેલ છે તેમને અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવે જ છે.જે લોકોએ ઈ-કે.વાય.સી. કરાવવાનું બાકી છે તે ઈ-કે.વાય.સી. કરાવી લેશે પછી તેમને જથ્થો આપવામાં આવશે.તેથી પુરવઠા વહીવટી તંત્રની જે કાર્ડ ઘારકોનું ઈ-કે.વાય.સી. બાકી છે તેમને ઈ-કે.વાય.સી. કરાવી લેવા અપીલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech