વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાઇકલ રેલી

  • June 10, 2025 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ભાવનગર સાઇકલ ક્લબના સહયોગથી આજે પર્યાવરણ જાગૃતિ માટે વિશેષ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું  હતું.તા.૦૮મી જુનને રવિવારના રોજ શહેરની  ધનેશ મહેતા સ્કૂલ, ક્રેસન્ટ સર્કલ ખાતેથી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સાયકલ રેલીનું આયોજન કરાયું હતું.પર્યાવરણના સંરક્ષણ માટે સૌની ભૂમિકા મહત્વપૂર્ણ છે.સ્વચ્છ હવા, જળ અને હરિયાળી આપણા ભવિષ્ય માટે આવશ્યક છે. સાયકલિંગ યદયિુ-મફુ, યદયિુ-ાયતિજ્ઞક્ષ ક્રિયા પણ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મોટો ફાળો આપે છે. આવી પ્રવૃત્તિઓથી જાગૃતિ ફેલાય છે અને પૃથ્વી બચાવવા માટે એકસાથે પગલાં લઈ શકાય તેવા હેતુ સાથે યોજાયેલી  સાયકલ  રેલીમાં ૧૦૦ થી વધુ સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો અને તમામને મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું તેમજ અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ભાવનગર સાઇકલ ક્લબના સહયોગથી આજે પર્યાવરણ જાગૃતિ માટે વિશેષ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application