ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે પ્રથમવાર વિદ્યાર્થીઓને 'બેસ્ટ ઓફ ટુ' નો વિકલ્પ આપવામાં આવ્યો છે. પરીક્ષામાં નાપાસ થયેલા, ગેરહાજર રહેલા અથવા તો પોતાના પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે આગામી 23 જૂનથી પૂરક પરીક્ષા લેવામાં આવશે. પૂરક પરીક્ષા લેવાય તે પહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે અને આ માટેનો શેડ્યુલ બોર્ડ દ્વારા જાહેર કરી દેવાયો છે.
બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા શેડ્યુલમાં જણાવ્યા મુજબ તારીખ 12 થી 14 જૂન દરમિયાન પ્રાયોગિક પરીક્ષા જે તે શાળામાં નિયત કરેલા વિજ્ઞાન પ્રવાહના કેન્દ્રમાં પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા દરમિયાન બોર્ડ દ્વારા ખંડ નિરીક્ષકો મોકલવામાં આવશે.
ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીની આ પ્રાયોગિક પરીક્ષાનો ડિટેઈલ શેડ્યુલ જે તે શાળા દ્વારા બોર્ડને મોકલી આપવાનો રહેશે અને તારીખ 12 થી 14 જૂન દરમિયાન વિજ્ઞાન પ્રવાહની જે તે શાળાના વિદ્યાર્થીઓને તબક્કા વાર પરીક્ષા માટે બોલાવવામાં આવશે. પરીક્ષા લેવાઈ જાય તે દિવસે જ જે તે વિદ્યાર્થીના માર્કસ બોર્ડને મોકલી આપવાની સૂચના પણ આપવામાં આવી છે.
બોર્ડ દ્વારા અગાવ છ ફેબ્રુઆરીથી પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવી હતી. પરંતુ વિજ્ઞાન પ્રવાહના અનેક વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા માટે ફોર્મ ભરતા તેમની પ્રાયોગિક પરીક્ષા પણ નવેસરથી લેવામાં આવશે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 10 માં કુલ 13000 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હોવા છતાં તેમણે પૂરક પરીક્ષા માટે આવેદનપત્રો ભર્યા છે. આ ઉપરાંત નાપાસ થયેલા પણ સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ પરીક્ષાના ફોર્મ ભર્યા છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે તારીખ 23 જૂનથી જિલ્લા કક્ષાના પરીક્ષા કેન્દ્રોમાં પૂરક પરીક્ષા લેવામાં આવશે. આ માટેની તૈયારી પણ બોર્ડ દ્વારા ચાલુ કરી દેવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech