દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર દિવાળી પહેલા બસ માર્શલને મોટી ભેટ આપવા જઈ રહી છે. દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજે આજે આ માહિતી આપી હતી. સૌરભ ભારદ્વાજે કહ્યું કે પ્રદૂષણ સામે લડવા માટે બસ માર્શલોને ચાર મહિના માટે નોકરી આપવામાં આવશે. સૌરભ ભારદ્વાજે એક વિડિયો સંદેશમાં કહ્યું બધા બસ માર્શલ ભાઈઓ અને બહેનો, અરવિંદ કેજરીવાલ તમારા માટે જે લડાઈ લડી રહ્યા હતા તેના પરિણામો આવવા લાગ્યા છે. દિલ્હીમાં પ્રદૂષણ સામે લડવા માટે તમને આવનારા ચાર મહિના માટે નોકરી આપવામાં આવશે.
મંત્રીએ કહ્યું કે બસ માર્શલના સંઘર્ષનું ફળ મળ્યું છે. કારણકે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ દરેકને રોજગાર પરત આપશે. હવે તેઓને ચાર મહિના માટે પ્રદૂષણ સામે રોજગારી આપવામાં આવશે અને જ્યાં સુધી તેઓને બસ માર્શલ તરીકે પુનઃસ્થાપિત કરવામાં ન આવે ત્યાં સુધી અમે ભાજપની કેન્દ્ર સરકારને આરામ કરવા દઈશું નહીં.
ભાજપના ષડયંત્રનો અંત લાવશે - સૌરભ ભારદ્વાજ
વિડિયો સંદેશમાં સૌરભે કહ્યું હતું કે, "તમને ચાર મહિના સુધી રોજગારની ખાતરી આપવામાં આવશે." જો કે તેમને બસ માર્શલ તરીકે પુનઃસ્થાપિત કરવાની લડત ચાલુ રહેશે. અરવિંદ કેજરીવાલે તમને નોકરી પાછી અપાવવાનું વચન આપ્યું છે. જેવી રીતે ભાજપની કેન્દ્ર સરકારે એક ષડયંત્ર દ્વારા દૂર કર્યા છે. એ ષડયંત્રનો અંત કરીને અમે તમારા ઘરમાં ખુશીઓ પાછી લાવીશું.
10 હજાર બસ માર્શલોને પુનઃસ્થાપિત કરવાનો મુદ્દો દિલ્હીમાં ચર્ચાનો વિષય છે. માર્શલોને નવેમ્બર 2023માં તેમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટી તેનો વિરોધ કરી રહી છે. માર્શલોએ પણ આ અંગે પ્રદર્શન કર્યું હતું જેમાં AAP નેતાઓએ પણ ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકમાં ૪ મહિલા સહિત ૩૯ જુગારીઓ ઝડપાયા
June 09, 2025 01:35 PMગુલાબનગરમાં વિદ્યાર્થી પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો
June 09, 2025 01:32 PMકોરોના જેટ ગતિએ વઘ્યો: શનિ-રવિમાં વધુ ૧૪ કેસ
June 09, 2025 01:31 PMકાલાવડમાં યુવાનને માથામાં સાયલેન્સર ફટકાર્યુ
June 09, 2025 01:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech