જામનગર મહાનગરપાલીકા દ્વારા મિલ્કત વેરામાં ૧૦૦ ટકા વ્યાજ માફીની સ્કીમ તા.૩૧-૩ના રોજ પૂર્ણ થઇ છે, પરંતુ મોંઘવારીના કારણે નાના માણસોની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેઓ આ સ્કીમમાં હાઉસટેકસ ભરી શકયા નથી તેથી તેની મુદત વધારવાની માંગણી વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર જૈનબબેન ખફીએ મ્યુ.કમિશ્નરને લખેલા પત્રમાં કરી છે.
તેમણે જણાવ્યું હતું કે, ૧૦૦ ટકા વ્યાજ માફીની સ્કીમથી જામનગર મહાનગરપાલીકાની તીજોરીને મોટો લાભ થયો છે તે દેખાય આવે છે, જેથી ૧૦૦ ટકા વ્યાજ માફીની સ્કીમનો સમય વધારવાની જરૂર છે, જામ્યુકોની તીજોરીમાં પણ વધુ આવક થશે અને નાના માણસો પણ આ વ્યાજ માફી સ્કીમનો લાભ લઇ શકશે માટે મુદત વધારવા માંગણી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech