દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારી રાખવા કલેકટરશ્રીએ આપ્યા માર્ગદર્શક સૂચનો
આગામી હોળીના તહેવાર દરમિયાન દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવશે. ત્યારે ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં દ્વારકા ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ તકે કલેકટર રાજેશ તન્નાએ આગામી હોળીના તહેવાર ઊજવાતા ફૂલડોલ ઉત્સવ લઈને બહોળી સંખ્યામાં પધારતા દર્શનાર્થીઓ માટે ખાસ માર્ગવસલામતી, સ્વચ્છતા, આરોગ્ય, પાર્કિંગ વ્યવસ્થા, સી.સી.ટી.વી કેમેરાથી દેખરેખ રાખવા, પીવાના પાણીની વ્યવસ્થા, તેમજ વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની તકેદારી રાખવા સહિત દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તકેદારી રાખતા સહિત તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા માટે સંબંધિત વિભાગોને સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી દ્વારકા હિમાંશુ ચૌહાણ, નાયબ કલેક્ટર એમ.બી.દેસાઈ, દ્વારકા નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ હોટેલ એસોસિએશનના સભ્યો, પૂજારીઓ, દેવસ્થાન સમિતિના સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech