બનાવ અંગે કાલાવડ રોડ પર પુષ્કરધામ નજીક આરએમસી ક્વાર્ટરમાં રહેતા રીક્ષા ચાલક રમેશભાઈ નારણભાઈ ભાદરવડા(ઉ.વ ૩૫) એ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જીજે-03-બીયુ-7954 નંબરની રીક્ષાના ચાલકનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના દોઢ વાગ્યે તે રીક્ષા લઈને કે.કે.વી. ચોકમાં મેટ્રો શોરૂમની સામે રિક્ષા રાખી પેસેન્જર ભરી રીક્ષા ચાલુ કરવા જતો હતો. ત્યારે પાછળથી એક રીક્ષાના ચાલકે બાજુમાંથી પોતાની રિક્ષા લઇ યુવાનની રિક્ષાને ટક્કર મારી હતી. બાદમાં રીક્ષા આગળ ઉભી રાખી ચાલક રિક્ષામાંથી બહાર આવ્યો હતો. જે શખસને યુવાને કહ્યું હતું કે, કેમ મારી રીક્ષામાં તારી રીક્ષા અથડાવે છે કહેતા રીક્ષાચાલક તે ગાળો દેવા લાગ્યો હતો. યુવાને મોબાઈલ ફોનમા રીક્ષા અને ચાલકનો વિડીયો રેકોર્ડિંગ કરતા રીક્ષાચાલકે તેની રિક્ષામાંથી એક લોખંડનો સળીયો કાઢી યુવાનને માથાના ભાગે તથા ડાબા હાથે પગે માર માર્યો હતો. આ સમયે ત્યાં હાજર યુવાનનો કુટુંબી ભાઈ સાગરભાઇ કેશુભાઈ શીંગરખિયા આવી બચાવવા જતાં તેને પણ રીક્ષાચાલકે સળીયો મારી દીધો હતો.
બાદમાં રીક્ષાચાલક તેની રીક્ષા લઈને બનાવસ્થળેથી નાસી જતો હોય દરમિયાન રીક્ષાના નંબર જીજે-03-બીયુ-7954 હોવાનું યુવાને નોંધ્યું હતું. કોઈ રાહદારીએ 108 એમ્બયુલન્સમાં ફોન કરતા કૌટુંબિક ભાઈ સાગર અને યુવાનને હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા હતાં. આ અંગે તાલુકા પોલીસે રિક્ષાચાલકની ફરિયાદ પરથી ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં વિમાન ક્રેશ કેમ થયું? અમેરિકાથી આવ્યો મોટો રિપોર્ટ
June 12, 2025 09:16 PMઅમદાવાદ એરપોર્ટ પર પ્લેન ક્રેશ: ટેક-ઓફ બાદ જ દુર્ઘટના, CCTV સામે આવ્યા!
June 12, 2025 08:40 PMઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં નવપરિણીત દુલ્હનની પહેલી ઉડાન બની અંતિમ ઉડાન
June 12, 2025 08:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech